દિલ્લીમાં કોરોનાના ઈલાજ માટે બનાવવામાં આવશે 'પ્લાઝમા બેંક'
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં દેશની પહેલી પ્લાઝમા બેંકના નિર્માણનુ એલાન કર્યુ છે.
રાજધાની દિલ્લીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓને હાલમાં પ્લાઝમા થેરેપી દ્વારા ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં દેશની પહેલી પ્લાઝમા બેંકના નિર્માણનુ એલાન કર્યુ છે. દેશની આ પહેલી પ્લાઝમા બેંક હશે. ઈન્સ્ટીટ્યુટ ઑફ લીવર એન્ડ બાઈલિયરી સાયન્સીસમાં આને બનાવવામાં આવશે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'દિલ્લી સરકારે કોરોના દર્દીઓના ઈલાજ માટે પ્લાઝમા બેંકો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ આવનારા દિવસોમાં શરૂ થઈ જશે. કેજરીવાલે કહ્યુ, 'કોરોનાથી રિકવર થયેલા દર્દીઓને મારુ નિવેદન છે કે પ્લાઝમાને જરૂર ડોનેટ કરો. આનાથી સરકારી અને પ્રાઈવેટ બંને હોસ્પિટલોને પ્લાઝમા આપવામાં આવશે. તેમણે કહ્યુ કે જો કોઈને પ્લાઝમા જોઈએ તો ડૉક્ટરને લખીને આપવુ પડશે.'
સીએમ કેજરીવાલે કહ્યુ કે, 'પ્લાઝમા ડોનર્સ માટે અમે પૂરી સુવિધા આપી છે. ઈન્સ્ટીટ્યુટ ઑફ લીવર એન્ડ બાઈલિયરી સાયન્સીસ હોસ્પિટલ જે નૉન કોવિડ હોસ્પિટલ છે, તેમાં ડોનેશનની વ્યવસ્થા કરવામાં આવશે. જેટલા પણ કોરોના દર્દી રિકવર થયા છે, દિલ્લી સરકાર એ બધાને કૉલ કરીને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રેરિત કરશે. જેથી અમે બધાનો જીવ બચાવી શકીએ.' પ્લાઝમા બેંકના એલાન બાદ દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી.
સિસોદિયાએ ટ્વિટ કરીને લખ્યુ કે, દિલ્લી સરકાર દેશની પહેલી પ્લાઝમા બેંક બની રહી છે. કોરોનાથી રિકવર થઈ ચૂકેલા લોકો પોતાનો પ્લાઝમાં જરૂર દાન કરે. કોઈનો પણ જીવ બચાવવાનો મોકો બહુ ઓછો મળે છે. આનાથી મોટો કોઈ ધર્મ નથી. લેટેસ્ટ આંકડાઓ મુજબ દિલ્લીમાં અત્યારે કોરોના વાયરસના કુલ 83077 કેસ છે. આમાંથી લગભગ 27 હજાર કેસ સક્રિય છે જ્યારે અત્યાર સુધી રાજધાનીમાં 2623 લોકોના મોત થઈ ચૂક્યા છે.
LPG સ્ટૉક કરવો, સ્કૂલો ખાલી કરાવવાના આદેશથી કાશ્મીરમાં ગભરાટઃ ઉમર અબ્દુલ્લા