Delhi Hit and Run: પીડિત પરિવારને 10 લાખનું વળતર આપશે સરકાર, કેજરીવાલે કરી જાહેરાત
કાંઝાવાલા હિટ એન્ડ રન કેસને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીડિત પરિવારને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
રાજધાની દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં નવા વર્ષની (1 જાન્યુઆરી) વહેલી સવારે દિલ્હીની યુવતીને ખેંચી જવાના કિસ્સાએ લોકોને ચોંકાવી દીધા હતા. કારમાં સવાર 5 યુવકોએ ઘરનો દીવો બુઝાવી દીધો હતો. પરિવારમાં પુત્રની ફરજ બજાવનાર પુત્રીના મોતના સમાચારથી માતામાં ગમગીની છવાઈ ગઈ છે. બીજી તરફ સોમવારે સુલતાનપુરી પોલીસ સ્ટેશનમાં મહિલાઓએ ઉગ્ર વિરોધ કરતાં હોબાળો થયો હતો. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીડિતાની માતા સાથે વાત કરતા તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

10 લાખ રૂપિયા વળતર આપશે સરકાર
કાંઝાવાલા હિટ એન્ડ રન કેસને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીડિત પરિવારને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. કેજરીવાલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે પીડિતના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. દિલ્હીના સીએમએ પોતાના ટ્વિટમાં દીકરીને ન્યાય મળવાની વાત પણ કરી હતી.
|
પીડિત પરિવારને કેજરીવાલે કર્યો વાયદો
દિલ્હીના સીએમએ ટ્વિટમાં લખ્યું, પીડિતાની માતા સાથે વાત કરી. દીકરીને ન્યાય મળશે. સૌથી મોટા વકીલને મેદાનમાં ઉતારશે. તેની માતા બીમાર રહે છે. તેમની સંપૂર્ણ સારવાર કરાવશે. પીડિત પરિવારને દસ લાખ રૂપિયાનું વળતર આપશે. આ પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુનેગારોને કડકમાં કડક સજાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે દોષિતોને ફાંસી થવી જોઈએ.

નવા વર્ષે બની આ ઘટના
તમને જણાવી દઈએ કે 31 ડિસેમ્બરથી 01 જાન્યુઆરીની વચ્ચે સવારે 3 વાગ્યાની વચ્ચે કારમાં સવાર 5 યુવકોએ પહેલા સ્કૂટી પર સવાર 23 વર્ષની યુવતીને ટક્કર મારી હતી અને પછી તેને લગભગ 4 કિમી સુધી ખેંચી હતી, ત્યારબાદ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાર કબજે કરી તપાસ શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
