દિલ્હી: ચોરીના આરોપમાં મકાનમાલિકે ભાડુઆતની હત્યા કરી
દેશની રાજધાનીમાં એક દિલ કંપાવી દે તેવો કેસ પ્રકાશમાં આવ્યો છે. અહીં ચોરીના આરોપસર મકાન માલીકે ભાડૂતને માર માર્યો હતો.
દેશની રાજધાનીમાં એક દિલ કંપાવી દે તેવો કેસ પ્રકાશમાં આવ્યો છે. અહીં ચોરીના આરોપસર મકાન માલીકે ભાડૂતને માર માર્યો હતો. મળતી માહિતી મુજબ 44 વર્ષીય વિધવા દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી, જેને શનિવારે માર મારવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ મંજુ ગોયલ તરીકે થઈ છે, જે છેલ્લા છ મહિનાથી મહેરૌલી વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતી હતી. મહિલા લોકોના ઘરે કામ કરતી હતી અને આ પૈસાથી તે પોતાનું જીવન જીવી રહી હતી.

રોકડ ચોરીનો આરોપ
મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે મકાન માલિક સતીષ પહવાએ મંજુ પર ઘરમાંથી રોકડ રકમની ચોરીનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ તેઓએ મંજુને નિર્દયતાથી માર માર્યો હતો. મંજુના ભાઈ મુકેશ જિંદલે જણાવ્યું હતું કે અમને શનિવારે સવારે આઠ વાગ્યે ફોન કરવામાં આવ્યો હતો. મંજુના મકાન માલીકે અમને જણાવ્યું કે મંજુએ ઘરમાંથી ચોરી કરી હતી અને માર માર્યો છે. ફોન પર માહિતી મળ્યા બાદ જિંદલ તેની પત્ની અને મિત્રો સાથે ઘરે પહોંચ્યો હતો જ્યાં મંજુની હાલત ખૂબ જ ખરાબ હતી.
60000 રૂપિયા પણ લીધા હતા
મૃતક મંજુના ભાઈએ સતીષ પાહવા પર આરોપ લગાવ્યો છે કે પુત્ર અને પરિવારના અન્ય સભ્યો સાથે મળીને તેની બહેનની હત્યા કરી છે. સતીશે જણાવ્યું હતું કે પાહવાના પરિવારે આરોપ લગાવ્યો છે કે મારી બહેને અઢીથી ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ લોકોએ મંજુની બચતમાંથી 60000 રૂપિયા પણ લઇ લીધા હતા. જિંદલના પરિવારના જણાવ્યા અનુસાર, મકાનમાલિકે તેને મંજુની હાલત વિશે માહિતી આપી હતી, ત્યારે આ લોકો મંજુને તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા કારણ કે આ લોકોનો કેટરિંગનો વ્યવસાય છે અને તે સમયે તેઓ કામમાં વ્યસ્ત હતા.
પોલીસે ગુનો દાખલ કર્યો
સતીષે મંજુની સારવાર માટે ઘરે જ ડોક્ટરને બોલાવ્યા, પરંતુ ઘાયલ મંજુનું મોત નીપજ્યું હતું. જે બાદ મંજુના પરિવારે આ અંગે પોલીસને જાણ કરી હતી. તમને જણાવી દઈએ કે મંજુના બે બાળકો છે જે હરિયાણાના રેવાડીમાં તેમના દાદા-દાદી સાથે રહે છે. પોલીસે આરોપી સતીષ અને તેના પુત્ર પંકજ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પીડિતાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ભાજપી નેતા અગ્નિમિત્રા પૉલનો આરોપ, જાધવપુર યૂનિમાં ભીડે મારાં કપડાં ફાડ્યાં
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
