ઉપરાજ્યપાલે સરકાર રચવા હર્ષવર્ધનને આપ્યું આમંત્રણ
નવી દિલ્હી, 12 ડિસેમ્બર: દિલ્હીના ઉપરાજ્યપાલ નઝીબ જંગે સરકારના ગઠન પર ચર્ચા કરવા માટે ભાજપાના મુખ્મમંત્રી પદના ઉમેદવાર હર્ષવર્ધનને ગુરુવારે બોલાવ્યા છે. જ્યારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગતુ દેખાઇ રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને સરકાર નહીં બનાવવાના પોતાના વલણ પર બુધવારે પણ અડગ રહ્યા અને તેમણે ફરીથી ચૂંટણીને પ્રાથમિકતા આપી છે.
ભાજપના હર્ષવર્ધને આ મુદ્દા પર પાર્ટીનું આ વલણ અપનાવ્યું કે તેમની પાસે સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો નથી. હર્ષવર્ધને જણાવ્યું કે તેમની પાર્ટી વિપક્ષની ભૂમિકા નિભાવવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને સરકાર બનાવે તો તેનું સ્વાગત છે.
હર્ષવર્ધને જણાવ્યું કે તેમની પાર્ટી સરકાર ગઠનને લઇને કોઇ પણ પ્રકારની જોડતોડની રાજનીતિ નહીં અપનાવે, અને તેઓ વિપક્ષની ભૂમિકા નિભાવવા તૈયાર છે. જ્યારે આપના પ્રમુમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી ફરીથી ચૂંટણી કરાવવાનું પસંદ કરશે.

ઉલ્લેખનીય છે કે 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભામાં ભાજપને 31 બેઠકની સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે અને તેમના સહયોગી શિઅદની પાસે એક બેઠક છે. જ્યારે, આપને 28 બેઠક મળી છે અને કોંગ્રેસને આઠ પર સમેટાઇ ગઇ છે. જેડીયૂએ એક બેઠક જીતી છે જ્યારે મુંડકા બેઠક અપક્ષીય ઉમેદવારના ખાતામાં ગઇ છે.












Click it and Unblock the Notifications
