દિલ્હી: 17 દિવસ પછી કબરમાંથી કાઢવામાં આવ્યું યુવકનું શવ
દિલ્હી પોલીસે હત્યાની શંકામાં મંગળવારે મંગોલપુર વાય બ્લોકમાં કબર ખોદીને એક યુવકનું શવ બહાર કાઢ્યું હતું.
દિલ્હી પોલીસે હત્યાની શંકામાં મંગળવારે મંગોલપુર વાય બ્લોકમાં કબર ખોદીને એક યુવકનું શવ બહાર કાઢ્યું હતું. ત્યારપછી પોસ્ટમોર્ટમ કરી શવ ફરી પરિવારને સોંપી દીધું. પરિવારનો આરોપ છે કે પત્નીએ જ અવેધ સંબંધને કારણે યુવકને રસ્તાથી હટાવવા માટે પ્લાન કર્યો. યુવકનું નામ વકીલ સેફિ (30) હતું. યુવક વકીલની 9 માર્ચે દરમિયાન મૌત થયી હતી. યુવકના 9 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેના બે બાળકો પણ હતા. લગ્ન પછી ચાર વર્ષ યુવક સાઉદી આરબમાં રહ્યો. ત્યાંથી પાછા આવ્યા પછી પોતાના વિસ્તારમાં તેને ફર્નિચરની દુકાન શરૂ કરી.

ડોક્ટરો ઘ્વારા જણાવ્યું કે વકીલની મૌત નશાને કારણે થયી છે
વકીલની માતા શમીના બેગમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે 6 માર્ચ દરમિયાન તેઓ ઘરની બહાર નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેમની તબિયત ખરાબ થઇ ગયી હતી. પહેલા વકીલને આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તબિયત વધારે ખરાબ થતા તેમને રામમનોહર લોહિયા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. 9 માર્ચ દરમિયાન વકીલની હોસ્પિટલમાં મૌત થઇ ગયી. હોસ્પિટલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વકીલની મૌત નશા ને કારણે થયી છે. પરંતુ તેઓ નશો કરતા હતા જ નહીં.

પોલીસ પરિવાર ઝગડો માની રહી
વકીલની માતા ઘ્વારા જણાવવાયું કે 5 માર્ચે વકીલે પોતાની પત્નીને રાત્રે 2.30 વાગ્યે કોઈ યુવક સાથે ફોન પર વાત કરતા સાંભળી. જેના લઈને બંને વચ્ચે અનબન થયી. તેની પત્નીએ ફોન કરી પોતાના પ્રેમીને પણ બોલાવી લીધો. 5 મિનિટમાં પ્રેમી પણ ત્યાં પહોંચી ગયો. આખી રાત હંગામો ચાલ્યો. 6 માર્ચે સવારે 9 વાગ્યે પત્નીએ વકીલને ચા આપી. ચા પીને વકીલ ઘરની બહાર નીકળ્યો અને તેમની તબિયત ખરાબ થયી.

ડ્રાઇવિંગ લાઇસન્સ થી શંકા
ખરેખર પરિવારે મોડી રાત્રે પત્નીના ડ્રાઇવિંગ લાઇસન્સ જોયું જેમાં પતિનું નામ સુલેમાન લખ્યું હતું. જેના કારણે તેમને શંકા ગયી અને તેમને પોલીસને તેના વિશે જાણ કરી.












Click it and Unblock the Notifications
