દિલ્હીઃ IGI એરપોર્ટે દુર્ઘટનાનો શિકાર થતાં બચ્યા રાહુલ ગાંધી

માહિતી અનુસાર રાહુલ ગાંધી રાય બરેલીથી દિલ્હી પરત ફરી રહ્યાં હતા, તે સમયે તેમનું જેટ જ્યાં લેન્ડ થવા જઇ રહ્યું હતું, એ રનવે પર અન્ય એક એરક્રાફ્ટ પાર્ક થયેલું જોવા મળ્યું હતું. જો કે, એનટીસીએ અંતિમ સમયે રાહુલના જેટને લેન્ડિંગ થતું અટકાવ્યું હતું અને એક મોટી દુર્ઘટના થતા અટકાવી હતી.
નોંધનીય છે કે, આ કેસ્સના સિટેશન નામના અમેરિકન બિઝનેસ જેટને બે પાયલોટ ઉડાવી રહ્યા હતા, જેમણે સમયસુચકતા વાપરી એનટીસી દ્વારા આપવામા આવેલી સૂચના અનુસાર મોટી હાની થતી અટકાવી હતી, આ બનાવ અંગે ડીજીસીએ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
