4 કલાક કેવી રીતે ભારતીય લશ્કરે કર્યા, 8 આતંકી કેમ્પનો ખાતમો, વાંચો અહીં
ગુરુવારે ભારતીય લશ્કરના સ્પેશ્યલ કમાન્ડોએ એલઓસી પાર કરી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકી કેમ્પોનો ખાતમો બોલાવ્યો. ત્યારે માત્ર 4 કલાકમાં જ ભારતીય લશ્કરે 8 આતંકી કેમ્પને તબાહ કરી દીધા હતા. અને અંદાજે 38 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ માટે સ્પેશ્યલ કમાન્ડો હેલિકોપ્ટરથી લેન્ડિંગ કરી પીઓકેમાં આવેલ આતંકીઓના કેમ્પ પર પહોંચ્યા હતા.
ભારતની સર્જિકલ સ્ટ્રાઇક: જાણવા જેવી 10 વાતો
ક્યારે શરૂ થયું હતું ઓપરેશન
જેમ ઉરીમાં આપણા સૈનિકોને તે સુઇ રહ્યા હતા અને ડ્યૂટી બદલી રહ્યા હતા ત્યારે માર્યા હતા તે રીતે જ ભારતીય લશ્કરે રાતના બુધવારના 12:30 વાગે આ સર્જિકલ ઓપરેશન શરૂ કર્યું હતું.
4 કલાકમાં કામ તમામ
સ્પેશ્યલ કમાન્ડોએ સવાર 4:30 વાગ્યા સુધીમાં તેમનું તમામ કામ પતાવી પરત ભારતમાં આવી ગયા હતા.
4 કલાક 8 કેમ્પ
પ્રાપ્ત માહિતી મુજબ માત્ર 4 કલાકમાં જ ભારતીય લશ્કરે આતંકીઓના 8 જેટલા કેમ્પનો સફાળો કરી દીધો હતો.
38 આતંકીનો ખાતમો
નોંધનીય છે કે ઉરી આંતકી હુમલામાં આતંકીઓએ ભારતના 18 જવાનોને માર્યા હતા. ત્યારે ભારત સામે આંખો ઊંચી કરનાર આ આતંકીઓના 38 આતંકીઓને ભારતીય લશ્કરે મોતને ઘાટ ઉતાર્યા હતા.
વિસ્તાર
કાશ્મીર સ્થિત બારામૂલા, રાજૌરી અને કુપવાડા સ્થિત 19,25 અને 28 ડિવિઝનના સૈનિકોએ આ ઓપરેશનમાં ભાગ લીધો હતો.
ભારતીય લશ્કર
એલોસીના 500 મીટરથી લઇને બે કિલોમીટર સુધીના વિસ્તારમાં આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને પેરા કમોન્ડોઝ અને ગ્રાઉન્ડ ફોર્સિસ પણ સામેલ કરવામાં આવ્યા હતા.
એમઆઇ 17 હેલિકોપ્ટર
સુત્રથી મળતી માહિતી મુજબ તમામ કમાન્ડોને એમઆઇ-17 હેલિકોપ્ટરમાં આતંકી કેમ્પમાં પહોંચાડવામાં આવ્યા હતા. અને આ સમગ્ર ઓપરેશનમાં કોઇ પણ ભારતીય સૈનિકને નુક્શાન નથી થયું.