દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી
જાણીતા અભિનેતા દિલીપ કુમારની તબિયત બગડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
જાણીતા અભિનેતા દિલીપ કુમારની તબિયત બગડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ડૉક્ટરોએ જણાવ્યુ છે કે તેમને છાતીમાં ઈન્ફેક્શન છે જેનાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. લીલાવતી હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યુ છે કે અભિનેતાના આરોગ્ય અંગે ચિંતા જેવી વાત નથી.
95 વર્ષના દિલીપ કુમાર છેલ્લા ઘણા વર્ષોથી બિમાર છે. તેમન પત્ની શાયરા બાનુ તેમની સાથે સાથે રહે છે. ઘણા દાયકાઓ સુધી દિલીપ કુમારે ફિલ્મોમાં કામ કર્યુ છે. 50 અને 60 ના દાયકામાં તેઓ બોલિવુડના સૌથી સફળ અભિનેતાઓમાં શામેલ રહ્યા છે. દિલીપકુમારના નામ પર અંદાજ, દેવદાસ, ગોપી, રામ ઓર શ્યામ, યહૂદી, આદમી, મુગલ-એ-આઝમ, મધુમતિ, ગંગા યમુના, નયા દૌર, સૌદાગર જેવી ઘણી યાદગાર ફિલ્મો છે.
દિલીપ કુમારને ફિલ્મી દુનિયાના ઘણા મોટા સમ્માન મળ્યા છે. 1995 માં તેમને 'દાદા સાહેબ ફાળકે' સમ્માનથી નવાજવામાં આવ્યા. 1998 માં પાકિસ્તાન સરકારે તેમને ત્યાંના સર્વોચ્ચ સમ્માન 'નિશાન એ ઈમ્તિયાઝ' થી નવાજ્યા.
આ પણ વાંચોઃ 'પાકીઝા' ગીત રીમિક્સ કરવા માટે આતિફ પર ભડક્યા લતા મંગેશકર