રાજકારણ v/s સોશિયલ મીડિયા: કોબરા પોસ્ટનો ખુલાસો, પૈસાથી ખરીદવામાં આવે છે Likes
નવી દિલ્હી, 29 નવેમ્બર: સોશિયલ મીડિયા પર કેટલીક આઇટી કંપનીઓ નેતાઓને પ્રખ્યાત અને બદનામ કરવાનું કામ કરે છે. તેના માટે તે તેમની પાસેથી ભારેખમ રકમ વસૂલે છે. આ ખુલાસો 'કોબરા પોસ્ટ' નામની એક વેબસાઇટે સ્ટિંગ ઓપરેશનના માધ્યમથી કર્યો છે અને તે આઇટી કંપનીઓનો પર્દાફાશ કર્યો છે.
ઓપરેશન 'બ્લૂ વાયરસ' નામના આ સ્ટિંગ ઓપરેશનમાં લગભગ બે ડઝન એવી કંપનીઓનો ભાંડો ફોડ્યો છે. જે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને બદનામ અને નામચીન કરવા માટે ભારેખમ રકમ વસૂલે છે.

આ ખુલાસામાં દાવો કરવામાં આવ્યો છે કે આઇટી કંપનીઓ દ્વારા આ કામ નેતાઓ દ્વારા કરવામાં આવે છે જેથી ચૂંટણીમાં તેમને તેનો ફાયદો મળી શકે. એવી આઇટી કંપનીઓ ઉપલબ્ધ છે જે ફેસબુક, ટ્વિટર અને બીજી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના માધ્યમથી લોકોને બદનામ અથવા પ્રખ્યાત કરવા માટે લાખ રૂપિયાથી માંડીને કરોડો રૂપિયા સુધી વસૂલે છે.
સ્ટિંગ ઓપરેશન દરમિયાના ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ કામ માટે આ આઇટી કંપનીઓ બનાવટી ફેસબુક પેજ બનાવીને તેમને પોતાના કર્મચારી દ્વારા લાઇક કરાવે છે અથવા પછી લાઇક્સ ખરીદે છે. કંપનીઓએ એક વાયરસની મદદથી લાઇક્સ વધારવાનો પણ પ્રસ્તાવ રાખ્યો છે. સ્ટિંગ મુજબ આ વાયરસ માધ્યમથી ફેસબુક અને ટ્વિટર ફેન્સની સંખ્યા અનેકગણી વધારી શકાય છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
