Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણો જનધન યોજના ગરીબી હટાવશે કે વધારશે?

વડાપ્રધાનની જનધન યોજના હેટળ કરોડો બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલીઓમાં એવું કહીં રહ્યાં છેકે ગરીબોના બેન્કમાં બચત ખાતા હશે. જે દેશમાં સંતુલિત ભોજન ખાવું કરોડો લોકો માટે સ્વપ્ન સમાન લાગે છે, એ દેશનો ગરીબ વર્ગ બચત ખાતામાં ભુખ્યો રહીને રકમ જમા કરાવશે. જનધન યોજનામાં અનેક ખામીઓ બહાર આવી છે, જે કદાચ ગરીબીને ઓછી ન કરે પરંતુ તેને થોડીક વધારી શકે છે.

28 ઑગસ્ટ 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરશોરમાં જનધન યોજના જાહેર કરી હતી. અમુક જ સમયમાં એક કરોડ કરતા વધારે ખાતા ખોલવામાં આવ્યા. 10 ઓક્ટોબરે સાત કરોડથી વધારે ખાતો ખોલાઇ ચૂક્યા છે. જો આ ધમાકેદાર ઝડપ ચાલું રહી તો બની શકે છેકે લક્ષ્યપણ ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે, પરંતું બિઝનેસ સમાચારપત્રોએ સૂચનાના અધિકાર હેઠળ ખુલાસો કર્યો છે જે જનધન યોજનાની ખામીઓની પોલ ખોલી રહ્યો છે. આંકડાઓ પર નજર ફેરવવામાં આવે તો સાત કરોડ ખાતામાંથી 75 ટકા ખાતાઓમાં કોઇ પૈસા નથી. એટલે કે બેલેન્સ શૂન્ય છે. 75 ટકા ખાતાઓને આંકડામાં બદલવામાં આવે તો 5.4 કરોડ ખાતાઓમાં કોઇ પૈસો નથી.

25 ટકા ખાતાઓમાં ન્યૂનતમ રકમ
આ અહેવાલ અનુસાર જનધન યોજના હેઠળ કુલ 25 ટકા ખાતા એવા છે, જેમાં અંદાજે 5600 કરોડ સુધીની જ રકમ બતાવવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી જનધન યોજનાના લક્ષ્યને જાન્યુઆરી સુધી ખતમ કરવા માગે છે.

નિર્ધન પરિવારોને મળશે દંડ
સૌથી મોટો ભાર તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાંખવા જઇ રહ્યું છે. આરબીઆઇએ તાજેતરમાં બેન્કોને એ નિર્દેશ આપ્યો છેકે, ખાતામાં ન્યૂનતમ બેલેન્સ અથવા બેલેન્સ હોય નહીં તો ગ્રાહકોને એ અંગે ટૂંકમાં ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવે. આરબીઆઇના નિર્દેશો અનુસાર બેન્ક એવા ગ્રાહકોને સૂચિત કર્યા બાદ પૈસા જમા કરવા અનુરોધ કરશે પરંતુ બાદમાં ખાતમાં જમા પૈસા અને લેણદેણને જોઇને દંડ લગાવશે.

jandhan-yojna-02
તો ડેબિટ કાર્ડથી શું ફાયદો થશે
ડેબિટ કાર્ડ કેશ અમાઉન્ટ દર વખતે પર્સમાં રાખવાની જરૂર નહીં રહે. જરૂર પડ્યે શોપિંગ પણ કરી શકાય છે અને એટીએમમાંથી કેશ કાઢી શકાય છે. જનધન યોજના હેઠળ ખલોવવામાં આવેલા ખાતાઓ સાથે પણ ડેબિટ કાર્ડ આપવાની સુવિધા આપવામાં આવી રહી છે. પરંતુ નિર્ધન પરિવારોના ખાતામાં પૈસા જ નહીં હોય તો પછી તે ડેબિટ કાર્ડનું શું કરશે. જાણકારી અનુસાર અંદાજે 39.8 ટકા લોકોને જ આ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

નબળી છે જનધન યોજના
આ ખામીઓ બાદ જન ધન યોજનાની ટીકા કરવામાં આવી રહી છે, કહેવામાં આવી રહ્યું છેકે, જન ધન યોજનાને કોઇપણ પ્રકારની પૂર્વ તૈયારી અને અધ્યયનથી શરૂ કરવામાં આવી છે. તેનો ફાયદો ઓછો અને નુક્સાન વધારે છે. જ્યારે ખાતા ખોલવાની પ્રાથમિકતા નથી પરંતુ રોજગાર અને શિક્ષાના સ્તરને વધારવાની પ્રાથમિકતા હોવી એક સારો વિકલ્પ બની શકતો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X