કોંગ્રેસના ડીકે શિવકુમારે જણાવ્યું કે કર્ણાટકમાં કેટલા દિવસ ચાલશે ગઠબંધન સરકાર
છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકની રાજનીતિ ગરમાઈ ચુકી હતી. યેદુરપ્પાને બહુમત નહીં મળતા તેઓ સીએમ પદથી હટી ચુક્યા છે.
છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકની રાજનીતિ ગરમાઈ ચુકી હતી. યેદુરપ્પાને બહુમત નહીં મળતા તેઓ સીએમ પદથી હટી ચુક્યા છે. હવે કોંગ્રેસ અને જેડીએસ સરકાર બનાવતા પહેલા જ બંને પાર્ટીના ભવિષ્ય અંગે ચર્ચાઓ થઇ રહી છે. ખબરો આવી રહી છે કે ગઠબંધન સરકાર બનતા પહેલા જ કોંગ્રેસ નેતાઓ નારાજ છે. પરંતુ બંને પાર્ટીના મોટા નેતાઓ ઘ્વારા આ વાત ખોટી હોવાનું જણાવ્યું છે. આ ગઠબંધન સરકારના ભવિષ્ય અંગે કોંગ્રેસના હીરો રહી ચૂકેલા ડીકે શિવકુમાર ઘ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

શુ 5 વર્ષ પુરા કરશે કર્ણાટક સરકાર?
સોમવારે પત્રકારો સાથે વાત કરી રહેલા કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને જયારે પૂછવામાં આવ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર 5 વર્ષ સુધી ટકી શકશે કે નહીં. તેના જવાબમાં તેમને કહ્યું કે તેઓ હાલમાં કઈ પણ નહીં કહી શકે. તેનો જવાબ સમય આપશે. અમારી સામે ઘણા મુદ્દા અને વિકલ્પ છે જેને વિશે હાલમાં કઈ પણ નહીં કહી શકું.

ગઠબંધન માટે મેં બધી જ કડવાહટ દૂર કરી
જેડીએસ સાથે ગઠબંધન પર કોંગ્રેસ વિધાયકો નારાજ થવાની ખબર પર તેમને જણાવ્યું કે કર્ણાટકમાં એક સેક્યુલર સરકાર બનાવવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘ્વારા ગઠબંધન માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયે આખા દેશને તેને જરૂર છે. એટલા માટે અમે જેડીએસ સાથે ગઠબંધન કર્યું છે. આ મુદ્દે મારે બધી જ કડવાહટ દૂર કરવી પડી જે આ સમયે મારુ કર્તવ્ય છે મેં પોતે આ ગઠબંધન માટે સહમતી આપી છે.

દેવગૌડા પરિવારના રાજનૈતિક પ્રતિદ્વંધી છે ડીકે શિવકુમાર
કર્ણાટક ઇલેક્શનમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. જયારે કોંગ્રેસ બીજા નંબરે રહી છે. તેમ છતાં કોંગ્રેસ ઘ્વારા જેડીએસ સમર્થન આપીને કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજનૈતિક રૂપે શિવકુમાર એચડી દેવગૌડા પરિવારના પ્રતિદ્વંધી રહી ચુક્યા છે. ડીકે શિવકુમાર અને દેવગૌડા પરિવાર ઘણીવાર ઈલેક્શનમાં સામસામે આવી ચુક્યા છે.
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો?





Click it and Unblock the Notifications
