શ્રીલંકા મુદ્દે ડીએમકેની મનમોહન સરકારને ધમકી

આ ધમકી આપતા સમયે કરૂણાનિધિએ સ્પષ્ટતા નથી કરી કે મંત્રીઓને પાછા ખેંચી લેવાનો અર્થ સમર્થન પાછું ખેંચી લેવું છે કે નહીં. કરૂણાનિધિના આ હડફડાતનો રાજકીય અર્થ સ્પષ્ટ રીતે કાઢી શકાય એમ છે.
આ પહેલા પણ અનેકવાર કરૂણાનિધિએ કહી ચૂક્યા છે અને અત્યારે પણ કહી રહ્યા છે કે તેમની ઇચ્છા ભારત સરકાર અમેરિકા સમર્થિત એ પ્રસ્તાવનું સમર્થન કરે જે શ્રીલંકામાં તમિલો પર થયેલા અત્યાચારની વિરુદ્ધ લાવવામાં આવી રહ્યો છે.
આપને અહીં સ્પષ્ટ જણાવી દઇએ કે 21 માર્ચના રોજ યુએનએચઆરસીમાં શ્રીલંકામાં થયેલા માનવઅધિકાર ઉલ્લંગનની વિરુદ્ધ પ્રસ્તાવ લઇને આવી રહ્યા છે. આ અંગે કરૂણાનિધિએ લેખિતમાં પોતાની વાત મનમોહન સિંહને કહી છે.
કરૂણાનિધિએ જણાવ્યું છે કે જો ભારત અમેરિકાના પ્રસ્તાવનું સમર્થન કરશે તો તેનાથી એ પણ ખબર પડશે કે શ્રીલંકામાં તમિલોના નરસંહાર માટે કોણ જવાબદાર છે. આ સાથે દોષિતોને પણ સજા મળી શકે. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં યુપીએ સરકારમાં કરૂણાનિધિના દીકરા એમ કે અલાગિરી સહિત ડીએમકેના 5 મંત્રી છે.












Click it and Unblock the Notifications
