For Quick Alerts
For Daily Alerts
ભારતના અરૂણાચલમાં રોડ બનાવવા પર ચીને કહ્યું- ખબરદાર!
નવી દિલ્હી, 15 ઓક્ટોબર: ભારતના અરૂણાચલમાં સીમાંત વિસ્તારોમાં માર્ગ બનાવવાના સમાચારોના પગલે ચીને ચિંતા વ્યક્ત કરી છે. ચીને વિદેશ મંત્રાલયના પ્રવક્તા હોંગ લેઇએ જણાવ્યું કે આશા છે કે સરહદ વિવાદનો ઉકેલવા પહેલા ભારત આ પ્રકારની કોઇ હરકત નહીં કરે.
આ અધિકારીએ જણાવ્યું કે મંત્રાલય અરૂણાચલમાં રસ્તા બનાવવાની યોજના પર કેબિનેટથી મંજૂરી લઇ રહ્યું છે. આ યોજનાને વડાપ્રધાન કાર્યાલયની મંજૂરી પણ મળી ચૂકી છે.
ગયા મહિને ચીન અને ભારતના સૈનિક લદ્દાખમાં આમને સામને આવી ગયા હતા, જ્યારે ભારતે આરોપ લગાવ્યો હતો કે ચીની સૈનિકો રસ્તો બનાવવાની કોશિશમાં ભારતીય વિસ્તારમાં ઘુસી આવ્યા છે. બંને દેશોના લગભગ એક-એક હજાર સૈનિકો આમને-સામને ઊભા હતા.
Comments
English summary
Don't make any move to complicate situation at border: China to India.
Story first published: Wednesday, October 15, 2014, 19:06 [IST]