Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

India Earthquake : ભારતમાં ગમે ત્યારે આવી શકે છે ભૂકંપ, વૈજ્ઞાનિકે આપી ચેતવણી

India Earthquake : ભારત ધરતીકંપ એક પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે, ભારતીય ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 5 સેમીના દરે ખસી રહી છે. જેના કારણે હિમાલયમાં તણાવ વધી રહ્યો છે.

India Earthquake : તુર્કીએ અને સીરિયામાં આવેલા ભયાનક ભૂકંપને કારણે તબાહી મચી ગઇ છે. આ પહેલા ઉત્તરકાશીમાં ભૂકંપને કારણે તિરાડોને કારણે ભારતના ભૂસ્તરશાસ્ત્રીઓ સાવચેત થઇ ગયા છે. હૈદરાબાદ આવેલા NGRIના મુખ્ય વૈજ્ઞાનિકના મત અનુસાર ભારતીય પ્લેટ ખસવાને કારણે હિમાલય વિસ્તારમાં ભૂકંપનું જોખમ વધી રહ્યું છે.

5 સેમીના દરે ખસે છે પ્લેટ

5 સેમીના દરે ખસે છે પ્લેટ

એક પ્રસિદ્ધ હવામાનશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે, ભારતીય ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 5 સેમીના દરે શિફ્ટ થઈ રહી છે.જેના કારણે હિમાલયમાં તણાવ વધી રહ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં ભૂકંપનું જોખમ વધવાની સંભાવના છે.

આગળ વધી રહી છે ભારતીય પ્લેટ

આગળ વધી રહી છે ભારતીય પ્લેટ

21 ફેબ્રુઆરીના રોજ, સિસ્મોલોજિસ્ટ અને હૈદરાબાદ સ્થિત જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI) ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એનપૂર્ણચંદ્ર રાવે જણાવ્યું હતું કે, પૃથ્વીનો બહારનો ભાગ અલગ-અલગ પ્લેટોથી બનેલો છે અને તે સતત ફરતા રહે છે. ભારતીય પ્લેટ દર વર્ષે 5 સેમી આગળ વધી રહી છે. જેના કારણે હિમાલયમાં તણાવ વધી રહ્યો છે અને ભૂકંપનો ખતરો વધી રહ્યો છે.

આ વિસ્તાર સંવેદનશીલ છે

આ વિસ્તાર સંવેદનશીલ છે

વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, અમારી પાસે ઉત્તરાખંડમાં 18 સિસ્મોગ્રાફ સ્ટેશનનું મજબૂત નેટવર્ક છે. ઉત્તરાખંડ સહિત, આ વિસ્તાર હિમાચલ અનેનેપાળના પશ્ચિમ ભાગ વચ્ચેના સિસ્મિક ગેપ તરીકે ઓળખાય છે.

આ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ છે અને અહીં ગમે ત્યારે ભૂકંપઆવી શકે છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ની માહિતી અનુસાર, 20 ફેબ્રુઆરીના રોજ હિમાચલ પ્રદેશમાં ધર્મશાલાથી 56 કિમીઉત્તરમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

હિમાચલમાં ભૂકંપ નોંધાયો

હિમાચલમાં ભૂકંપ નોંધાયો

NCS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંડાઈએ હતું. NCSએ જણાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 10.38 કલાકે હિમાચલ પ્રદેશમાં ધર્મશાલાથી 56 કિમી ઉત્તરમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું. 19 ફેબ્રુઆરીના રોજ આંધ્રપ્રદેશના નંદીગામમાં પણ ભૂકંપ નોંધાયો હતો. જેમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X