આસામના નગાંવમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3 મેગ્નિટ્યુટ નોંધવામાં આવી
આસામમાં આજે ફરીથી ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
દિસપુરઃ આસામમાં આજે ફરીથી ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ વખતે ભૂકંપના ઝટકા આસામના નગાંવમાં અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 મેગ્નિટ્યુડ નોંધવામાં આવી છે. ભૂકંપના ઝટકા આવતા જ સ્થાનિક લોકોમાં ડર ફેલાઈ ગયો અને લોકો પોત-પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. તમને જણાવી દઈએ કે આસામમાં ગયા સપ્તાહે સતત ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ આસામના મોરીગાંવ ક્ષેત્રમાં 2.8 મેગ્નિટ્યુડની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. જો કે જાનહાનિના કોઈ સમાચાર નહોતા. આ પહેલા પણ 5 મેના રોજ આસામના સોનીતપુર અને અન્ય ભાગોમાં 3.5 મેગ્નિટ્યુડની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. 3 મેના રોજ તેજપુરમાં 3.7 અને 1 મેના રોજ 3.3ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. વળી, 28 એપ્રિલના રોજ રાજ્યમાં સૌથી મોટો 6.4 મેગ્નિટ્યુટની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો જેના કારણે ઘણી સંપત્તિને નુકશાન થયુ હતુ.
બંગાળઃ CM મમતા બેનર્જીના નવા મંત્રી આજે લેશે શપથ