Earthquake:મેઘાલયમાં મોડી રાત્રે ધરતી ધ્રુજી, આવ્યો 3.2 ની તીવ્રતાનો ભૂકંપ
મેઘાલયના નોગપોહમાં મોડી રાત્રે ભંકપ આવ્યો હતો. જેનાથી ડરીને લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ સાથે દિલ્હીમાં પણ ભૂકંપના આચકા અનુભવાયા હતા.
મેઘાલયના નોંગપોહમાં રવિવારની મોડી રાત્રે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. IMD અનુસાર ભૂકંપના ઝટકા 31 જાન્યુઆરીની રાત્રે 11:28 વાગ્યે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. અચાનક ધરતી ધ્રુજતા લોકો ડરી ગયા હતા. અને લોકો ઘરોની બહાર નીકળી ગયા હતા. જો કે, ભૂકંપથી કોઇ જાનહાનીના સમાચાર નથી.
તમને જણાવી દઇએ કે, નવા વર્ષની એટલે કે, 2023ની શરુઆત ભૂકંપ સાથે થઇ છે. રવિવારની રાત્રે 1:20 વાગ્યે દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં પણ ભૂકંપના છટકા અનુભવાયા હતા. જેના લીધે લોકો ડરીને બહાર નીકળી ગયો હતા. ભૂકંપથી કોઇની જાનહાની થઇ નથી.
દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.4 માપવમાં આવી હતી. લોકો અનુસાર જ્યારે તે લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ આ ઝટકા અનુભવાયા હતા. જેના લીધે લોકો ઘરોની બહાર નીકળી ગયા હતા. જેના લીધે બહાર લોકોની ભીડ જામી હતી.
અચાનક ધરતી હલવાને લીધે બાળકોની ચિંચયારી નીકળી ગઇ હતી. સાથે બાળકો ડરી ગયા હતા. જાણકારો અનુસાર ભૂકંપ રાત્રે 1:20 આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું બેરી ક્ષેત્ર્ હતુ. તમને જણાવી દઇએ કે, એજ દિવસમાં દેશમાં બે ભૂકંપ આવી ચૂક્ય ાછે.