Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એર ઈન્ડિયાની ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ, જાણો શું છે કારણ?

દુબઈથી અમૃતસર જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હોવાના અહેવાલ છે. સમાચારો અનુસાર, એક મુસાફરને તબીબી સહાયતાની તાત્કાલિક જરૂર હતી.

એરલાઇનના પ્રવક્તા અનુસાર, વિમાન મુસાફરોને લઈને સવારે 8.51 વાગ્યે દુબઈથી રવાના થયું હતું. એરક્રાફ્ટમાં સવાર એક મુસાફરને અચાનક મેડિકલ કોમ્પ્લીકેશન થતા કરાચીમાં બપોરે 12.30 કલાકે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.

Air India

લેન્ડિંગ બાદ પેસેન્જરને તાત્કાલિક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી. મુસાફરને સારવાર આપવામાં આવ્યા બાદ અને ટેક ઓફ કરવા ક્લીયર કર્યા બાદ પ્લેને કરાચીથી અમૃતસર માટે બપોરે 2.30 કલાકે ઉડાન ભરી.

આ પહેલા 27 સપ્ટેમ્બરે કારીપુર ઈન્ટરનેશનલ એરપોર્ટથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને ટેક ઓફ કર્યાના લગભગ એક કલાક બાદ કન્નુર તરફ ડાયવર્ટ કરાઈ હતી. અહીં પાયલોટે પ્લેનના કાર્ગો હોલ્ડમાં આગની ચેતવણી જોઈ હતી. તે સમયે ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સહિત લગભગ 176 લોકો સવાર હતા.

આવી જ ઘટના જુલાઈમાં બની હતી. એક મુસાફરની મેડિકલ ઈમરજન્સીને કારણે મુંબઈથી રાંચી જતી ઈન્ડિગોની ફ્લાઈટને નાગપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. લેન્ડિંગ બાદ પેસેન્જરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ તેણે દમ તોડી દીધો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X