એર ઈન્ડિયાની ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ, જાણો શું છે કારણ?
દુબઈથી અમૃતસર જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હોવાના અહેવાલ છે. સમાચારો અનુસાર, એક મુસાફરને તબીબી સહાયતાની તાત્કાલિક જરૂર હતી.
એરલાઇનના પ્રવક્તા અનુસાર, વિમાન મુસાફરોને લઈને સવારે 8.51 વાગ્યે દુબઈથી રવાના થયું હતું. એરક્રાફ્ટમાં સવાર એક મુસાફરને અચાનક મેડિકલ કોમ્પ્લીકેશન થતા કરાચીમાં બપોરે 12.30 કલાકે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.

લેન્ડિંગ બાદ પેસેન્જરને તાત્કાલિક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી. મુસાફરને સારવાર આપવામાં આવ્યા બાદ અને ટેક ઓફ કરવા ક્લીયર કર્યા બાદ પ્લેને કરાચીથી અમૃતસર માટે બપોરે 2.30 કલાકે ઉડાન ભરી.
આ પહેલા 27 સપ્ટેમ્બરે કારીપુર ઈન્ટરનેશનલ એરપોર્ટથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને ટેક ઓફ કર્યાના લગભગ એક કલાક બાદ કન્નુર તરફ ડાયવર્ટ કરાઈ હતી. અહીં પાયલોટે પ્લેનના કાર્ગો હોલ્ડમાં આગની ચેતવણી જોઈ હતી. તે સમયે ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સહિત લગભગ 176 લોકો સવાર હતા.
Air India Express Spokesperson says, "A guest on board our Dubai-Amritsar flight had a sudden medical complication inflight (on 14th October), and the crew opted to divert to Karachi, given that it was the closest location to provide immediate medical assistance. The flight… pic.twitter.com/ht04kSEZgm
— ANI (@ANI) October 15, 2023
આવી જ ઘટના જુલાઈમાં બની હતી. એક મુસાફરની મેડિકલ ઈમરજન્સીને કારણે મુંબઈથી રાંચી જતી ઈન્ડિગોની ફ્લાઈટને નાગપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. લેન્ડિંગ બાદ પેસેન્જરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ તેણે દમ તોડી દીધો.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
