જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં એનકાઉન્ટર, સેનાએ એક આતંકીને કર્યો ઠાર
જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના મોલુ-ચિત્રગામ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે.
જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના મોલુ-ચિત્રગામ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. માહિતી અનુસાર સેનાને વિસ્તારમાં આતંકી છૂપાયો હોવાની માહિતી મળી હતી ત્યારબાદ સેનાએ અહીં સર્ચ ઑપરેશન શરુ કર્યુ આ દરમિયાન આતંકીઓએ સેના પર ગોળી ચલાવી દીધી ત્યારબાદ અહીં એનકાઉન્ટર શરૂ થઈ ગયુ. આ પહેલા શોપિયાંના દ્રગદ સુગન વિસ્તારમાં સેનાએ શુક્રવારે બે આતંકીઓને ઠાર માર્યા હતા.
હાલમાં જ દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલા એનકાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા હતા. કોકરેનાગમાં થયેલા આ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ જે બે આતંકવાદીઓને ઠાર માર્યા તેમાંથી એક આતંકી પાકિસ્તાની હતો. આતંકીઓ પાસે ભારે માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. 23 મેના રોજ પુલવામામાં એક એનકાઉન્ટર થયુ હતુ. પુલવામાના ત્રાલમાં થયેલા આ એનકાઉન્ટરમાં અલ કાયદાના સંગઠન અંસાર ગજવાલ ઉલ હિંદનો પ્રમુખ અને મોસ્ટ વૉન્ટેડ આતંકી જાકિર મૂસા માર્યો ગયો હતો.
#Visuals Jammu & Kashmir: One terrorist killed in exchange of fire between security forces and terrorists in Molu-Chitragam area of Shopian district. (Visuals deferred by unspecified time) pic.twitter.com/SY6t65TowP
— ANI (@ANI) 3 June 2019
આ પણ વાંચોઃ નીતીશ કુમારના મંત્રીમંડળમાં ભાજપને જગ્યા નહીં, જાણો કારણ