અનિલ અંબાણી કોર્ટના અનાદર બદલ દોષિ જાહેર, 453 કરોડ ચૂકવવા પડશે
સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને કોર્ટના અનાદર બદલ દોષિત જાહેર કર્યા છે. અનિલ અંબાણી સહીત કોર્ટે બે ડાયરેક્ટર્સને પણ કોર્ટના અનાદર બદલ દોષિ જાહેર કર્યા છે.
સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને કોર્ટના અનાદર બદલ દોષિત જાહેર કર્યા છે. અનિલ અંબાણી સહીત કોર્ટે બે ડાયરેક્ટર્સને પણ કોર્ટના અનાદર બદલ દોષિ જાહેર કર્યા છે. ટેલિકોમ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની એરિક્શન ઘ્વારા 550 કરોડ રૂપિયાની કિંમત નહીં ચૂકવવા બદલ તેમને આરકોમ વિરુદ્ધ કોર્ટના અનાદરની અરજી દાખલ કરી હતી. આ મામલે સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો.
આ પણ વાંચો: અનિલ અંબાણીની કંપનીઓ થઇ રહી કંગાળ, માત્ર 19 કરોડ રૂપિયા બચ્યા

4 અઠવાડિયામાં એરિક્શન ઇન્ડિયાને 453 કરોડ રૂપિયા ચૂકવવા પડશે
સુપ્રીમકોર્ટે આ મામલે નિર્ણય આપતા જણાવ્યું કે અનિલ અંબાણી અને 2 નિર્દેશકોને 4 અઠવાડિયામાં એરિક્શન ઇન્ડિયાને 453 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો તેઓ આ પૈસા નહીં ચૂકવે તો તેમને 3 મહિનાની જેલ થશે. સુપ્રીમકોર્ટે આ બધા પર 1-1 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

એરિક્શન ઇન્ડિયાએ અંબાણી વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર આરકોમને 550 રૂપિયા 15 ડિસેમ્બર પહેલા ચૂકવવાના હતા. પરંતુ તેમને પૈસા ચૂકવ્યા નહીં. ત્યારપછી એરિક્શને કોર્ટના અનાદર બદલ અરજી દાખલ કરી. સુપ્રીમકોર્ટે અનાદર અરજી પર અનિલ અંબાણીને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. ગયા મંગળવારે અંબાણી કોર્ટમાં હાજર પણ થયા હતા.

બે ડાયરેક્ટર્સ પણ દોષી
અનિલ અંબાણી સહીત રિલાયન્સ ટેલિકોમ ચેરમેન સતીશ શેઠ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલ ચેરમેન છાયા વિરાણીને પણ સુપ્રીમકોર્ટે દોષી જાહેર કર્યા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
