અનિલ અંબાણી કોર્ટના અનાદર બદલ દોષિ જાહેર, 453 કરોડ ચૂકવવા પડશે
સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને કોર્ટના અનાદર બદલ દોષિત જાહેર કર્યા છે. અનિલ અંબાણી સહીત કોર્ટે બે ડાયરેક્ટર્સને પણ કોર્ટના અનાદર બદલ દોષિ જાહેર કર્યા છે.
સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને કોર્ટના અનાદર બદલ દોષિત જાહેર કર્યા છે. અનિલ અંબાણી સહીત કોર્ટે બે ડાયરેક્ટર્સને પણ કોર્ટના અનાદર બદલ દોષિ જાહેર કર્યા છે. ટેલિકોમ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની એરિક્શન ઘ્વારા 550 કરોડ રૂપિયાની કિંમત નહીં ચૂકવવા બદલ તેમને આરકોમ વિરુદ્ધ કોર્ટના અનાદરની અરજી દાખલ કરી હતી. આ મામલે સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો.
આ પણ વાંચો: અનિલ અંબાણીની કંપનીઓ થઇ રહી કંગાળ, માત્ર 19 કરોડ રૂપિયા બચ્યા

4 અઠવાડિયામાં એરિક્શન ઇન્ડિયાને 453 કરોડ રૂપિયા ચૂકવવા પડશે
સુપ્રીમકોર્ટે આ મામલે નિર્ણય આપતા જણાવ્યું કે અનિલ અંબાણી અને 2 નિર્દેશકોને 4 અઠવાડિયામાં એરિક્શન ઇન્ડિયાને 453 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો તેઓ આ પૈસા નહીં ચૂકવે તો તેમને 3 મહિનાની જેલ થશે. સુપ્રીમકોર્ટે આ બધા પર 1-1 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

એરિક્શન ઇન્ડિયાએ અંબાણી વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર આરકોમને 550 રૂપિયા 15 ડિસેમ્બર પહેલા ચૂકવવાના હતા. પરંતુ તેમને પૈસા ચૂકવ્યા નહીં. ત્યારપછી એરિક્શને કોર્ટના અનાદર બદલ અરજી દાખલ કરી. સુપ્રીમકોર્ટે અનાદર અરજી પર અનિલ અંબાણીને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. ગયા મંગળવારે અંબાણી કોર્ટમાં હાજર પણ થયા હતા.

બે ડાયરેક્ટર્સ પણ દોષી
અનિલ અંબાણી સહીત રિલાયન્સ ટેલિકોમ ચેરમેન સતીશ શેઠ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલ ચેરમેન છાયા વિરાણીને પણ સુપ્રીમકોર્ટે દોષી જાહેર કર્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
