પાક.નો આરોપ, 'ભારતની ગોળીથી મર્યો અમારો જવાન'

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક દાયકાથી સંઘર્ષવિરામ ચાલી રહ્યું છે. આવામાં સીમા પાર થયેલી ગોળીબારીમાં સૈનિકના મોતનો આરોપ અસામાન્ય છે. પાકિસ્તાની સેનાના પબ્લિક રિલેશન ઓફિસરે જણાવ્યું કે ગોળીબારમાં એક પાકિસ્તાની સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો છે. કાશ્મીરના હાજી પીર સેક્ટરમાં સવા પટરા સૈન્ય ચોકી પર ગોળીબાર બાદ બંને તરફથી ગોળીબારી શરૂ થઇ ગઇ હતી.
ભારતીય સેનાના પ્રવક્તા બ્રીજેશ પાંડેયે જણાવ્યું કે પાકિસ્તાનના જવાનોએ કોઇ ઉશ્કેરણી વગર ફાયરીંગ શરૂ કરી દીધી હતી. તેમણે રવિવારે સવારે ભારતીય સેન્ય ચોકીઓ પર મોર્ટારથી હુમલો કર્યો અને ઓટોમેટિક હથિયારો દ્વારા ફાયરિંગ કરી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન તરફથી થયેલી ગોળીબારીમાં એક અસૈન્ય આવાસ નષ્ટ થઇ ગયું હતું.












Click it and Unblock the Notifications
