Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડવા કર્યા બાદ પણ મોદી સરકાર પર વરસી પ્રિયંકા ગાંધી

દિવાળીના અવસર પર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને નવા ભાવ આજથી જ લાગુ થશે.

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના અવસર પર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને નવા ભાવ આજથી જ લાગુ થશે. મોદી સરકારના આ નિર્ણય પર કટાક્ષ કરતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, સરકારે ડરના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. એક ટ્વિટમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, 'આ નિર્ણય હૃદયથી નહીં પણ ડરથી લેવામાં આવ્યો છે. વસુલાત સરકારને આવનારી ચૂંટણીમાં આ લૂંટનો જવાબ મળશે.

પ્રિયંકા ગાંધી

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં ઈંધણના ભાવમાં ભારે વધારો થયો છે. ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. કોરોનાના સમયગાળા દરમિયાન તેલની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડવાનું કામ કર્યું હતું, પરંતુ હવે સરકારે કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 110 રૂપિયાથી ઘટીને 105 રૂપિયા અને ડીઝલ 98 રૂપિયાથી ઘટીને 88 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે. કેન્દ્રએ રાજ્યોને દરોમાં વધુ ઘટાડો કરવા વિનંતી કરી છે, જેના પગલે ઘણા રાજ્યોએ ઈંધણના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

સુરજેવાલાએ તેને જુમલાનોમિક્સ ગણાવ્યું

આ પહેલા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા અને તેને જુમલાનોમિક્સ ગણાવી હતી. સુરજેવાલાએ ટ્વીટ કર્યું,'પહેલા 2021માં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 28 અને 26 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરો અને પછી તેમાં 5 અને 10 રૂપિયાનો ઘટાડો કરો, જો તે દિવાળીની ભેટહોય.'

તેલની વધતી કિંમતો પર વિપક્ષ કરી રહ્યો છે સતત પ્રહાર

તેલની વધતી કિંમતો પર વિપક્ષ કરી રહ્યો છે સતત પ્રહાર

ઉલ્લેખનીય છે કે, તેલની વધતી કિંમતોને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરી રહ્યો છે. પરિણામે સરકારે દબાણમાં આવીને આ નિર્ણય લેવો પડ્યો હતો.

આવા સમયે વિપક્ષ સરકારના આ નિર્ણયને ચૂંટણી સ્ટંટ ગણાવી રહ્યો છે. આ સિવાય વિપક્ષનું કહેવું છે કે, કેટલાક રાજ્યોમાં તાજેતરમાં થયેલી પેટા ચૂંટણીનાપરિણામોએ કેન્દ્રને હચમચાવી નાખ્યું છે, જેના કારણે સરકારે આ નિર્ણય લેવો પડ્યો હતો.

અશોક ગેહલોતે કરી વધુ ઘટાડાની માગ

બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્ર સરકારને એક્સાઈઝ ડ્યુટીમાં વધુ ઘટાડો કરવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે, કેન્દ્ર દ્વારા એક્સાઈઝડ્યુટીમાં ઘટાડા સાથે રાજ્યો દ્વારા વસૂલવામાં આવતો વેટ આપોઆપ સમાન પ્રમાણમાં ઘટે છે. અમે માગ કરીએ છીએ કે, કેન્દ્રએ મોંઘવારી ઘટાડવા માટે એક્સાઈઝડ્યુટીમાં વધુ ઘટાડો કરવો જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X