Exclusive : IPCC વૈજ્ઞાનિકે વ્યક્ત કરી ચિંતા - ભારતીય કૃષિ સંકટમાં છે
ઇંટર ગવરમેન્ટલ પેનલ ફોર ક્લાઇમેટ ચેન્જ (IPCC)ના વર્કિંગ ગ્રુપ-1 ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી સદીમાં દરિયાનું સ્તર એકથી ત્રણ મીટર વધશે અને દરિયાકાંઠાના શહેરો દેશમાં ડૂબી જશે.
ઇંટર ગવરમેન્ટલ પેનલ ફોર ક્લાઇમેટ ચેન્જ (IPCC)ના વર્કિંગ ગ્રુપ-1 ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી સદીમાં દરિયાનું સ્તર એકથી ત્રણ મીટર વધશે અને દરિયાકાંઠાના શહેરો દેશમાં ડૂબી જશે. જો કે, આવું થવામાં લગભગ 100 વર્ષ લાગશે, પરંતુ હાલ આપણી સામે જે કટોકટી ઉભી છે, તે ખૂબ જ ખતરનાક છે. તે કૃષિ પર ક્લાઇમેટ ચેન્જની અસર છે.
આપણે સૌ જાણીએ છીએ કે, ભારતનું અર્થતંત્ર મોટે ભાગે કૃષિ પર આધારિત છે, જીડીપીના 20.2 ટકા કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાંથી આવે છે. આ સ્થિતિમાં કૃષિ પરનું સંકટ ઉંડું બને છે. આ કટોકટીથી બચવા માટે ભારતે શું કરવું જોઈએ તેના કેટલાક સૂચનો, IPCC રિપોર્ટ તૈયાર કરનારા વૈજ્ઞાનિકોમાંથી એક પ્રોફેસર એન્ડ્રુ ટર્નર છે. યુકેની યુનિવર્સિટી ઓફ રીડિંગના પ્રોફેસર એન્ડ્રુ ટર્નરે ભારતમાં ક્લાઇટમેન્ટ ચેન્જ અને વાયુ પ્રદૂષણ પર ઘણું સંશોધન કર્યું છે.
OneIndia સાથે વિશિષ્ટ વાતચીતમાં તેમણે કૃષિ ક્ષેત્રના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ટર્નરે જણાવ્યું હતું કે, તેમાં કોઈ શંકા નથી કે, પૃથ્વીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. જો આપણે આજથી કાર્બન ઉત્સર્જનને શૂન્ય સુધી ઘટાડી દઈએ, જે શક્ય નથી, તો પણ 2030 સુધીમાં પૃથ્વીનું તાપમાન વધશે અને તાપમાનમાં વધારો થવાને કારણે દરિયામાં ચક્રવાતની તીવ્રતા વધુ રહેશે.
પ્રોફેસર ટર્નરે જણાવ્યું હતું કે, તાપમાનમાં દરેક ડિગ્રીના વધારા સાથે હવામાનની સ્થિતિ વધુ ખરાબ થશે. આપણે પહેલેથી જ જોઈ રહ્યા છીએ કે, ભારતમાં ચોમાસુ પહેલાથી જ અનિયમિત બની ગયું છે. લાંબા સમય સુધી દુષ્કાળ, વધુ પડતો વરસાદ હવે સામાન્ય બની રહ્યો છે. ખેડૂતોનો પાક વરસાદ પર આધારિત છે. આવી પરિસ્થિતિમાં જો આવનારા સમયમાં આબોહવા પરિવર્તનને કારણે ખેતીને થતું નુકસાન ઘટાડવાનું છે, તો આવી સિસ્ટમ બનાવવી પડશે, જેમાં હવામાન વિભાગની ટીમે ખેડૂતો સાથે મળીને કામ કરવું પડશે.
જો વરસાદની સચોટ આગાહી કરવામાં આવે અને ખેડૂતોને સમયસર અગાઉથી જાણ કરવામાં આવે તો તે મુજબ તેમની વાવણી, લણણી વગેરેનું કામ કરી શકે છે. એન્ડ્રુ ટર્નરે 2019ની શિયાળામાં ભારતની મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ઉત્તરીય રાજ્યોમાંથી આવતા ધુમાડાને કારણે દિલ્હીમાં દર વર્ષે પ્રદૂષણ વધે છે.
સ્ટબલ સળગાવવી પણ તે ખેડૂતોની મજબૂરી છે. ભારત સરકાર પણ તેના પગલા લઈ રહી છે, પરંતુ હવામાનમાં થતા ફેરફારને જોતા આ પગલાંને વેગ આપવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગ રોજ હવામાન પર ચેતવણીઓ જારી કરે છે, જેમાં કૃષિ સંબંધિત ચેતવણીઓ હોય છે. ચોક્કસ છે કે, જે ખેડૂતો હાઇટેક નથી, જેમની પાસે સ્માર્ટ ફોન વગેરે નથી, તેમને હવામાનની માહિતી મેળવવામાં મુશ્કેલી પડે છે.
IPCC રિપોર્ટ તૈયાર કરનારા 193 વૈજ્ઞાકોમાંથી એક પ્રોફેસર એન્ડ્રુએ એવી પણ સલાહ આપી છે કે, ભારતના ખેડૂતો માટે દેશમાં ઉપલબ્ધ જળાશયોમાંથી પાણી મેળવવાનું સરળ બને તો પણ આવનારી કટોકટી ટાળી શકાય છે. એટલે કે જે જગ્યાએ વરસાદ નથી અથવા મોડો વરસાદ થાય છે, જો ત્યાં સમયસર પાણી પહોંચાડવામાં આવે તો નુકસાન ઘટાડી શકાય છે.
પ્રોફેસર એન્ડ્રુએ જણાવ્યું હતું કે, ગત સદીમાં અમે ભારતમાં જોયું છે કે, સરેરાશ ચોમાસાના વરસાદમાં ઘટાડો થયો છે. 1950થી સરેરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અન્ય સ્રોતોમાંથી એરોસોલ પ્રદૂષણ વધ્યું છે, જેનાથી હવાની ગુણવત્તા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ જેટલું વધારે છે, તેટલો જ વરસાદ થશે. નુકસાન માત્ર શહેરોને જ નહીં, પણ ગ્રામીણ વિસ્તારોને પણ થશે. એટલે કે પહેલા કરતા વધારે પાકનો બગાડ થશે.
તાજેતરમાં થયેલું પાકનું નુકસાન
- જૂન 2021માં યાસ ચક્રવાતને કારણે, ઓડિશામાં 2197.34 હેક્ટર પાકનો નાશ થયો હતો, જે કુલ પાકનો 33 ટકા હતો
- વર્ષ 2020માં દેશના 12 રાજ્યોમાં 33 ટકા પાકને ભારે વરસાદ/પૂર/ભૂસ્ખલનને કારણે નુકસાન થયું હતું
વર્ષ 2019માં ચક્રવાત ફાનીના કારણે પાકને નુકસાન :
- ઓડિશા : 1,48,663 હેક્ટર
- આંધ્રપ્રદેશ : 1,365 હેક્ટર
- પશ્ચિમ બંગાળ : 1,12,000 હેક્ટર
વર્ષ 2019માં ચક્રવાતી વાવાઝોડાને કારણે પાકને નુકસાન :
- ઓડિશા: 1,48,663 હેક્ટર
- આંધ્ર પ્રદેશ : 1,365 હેક્ટર
- પશ્ચિમ બંગાળ : 1,12,000 હેક્ટર
- અન્ય પર્યાવરણીય વૈજ્ઞાનિકો શું કહે છે
IPCC-SROCCના અગ્રણી લેખક અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો રોક્સી મેથ્યુએ એક નિવેદન આપ્યું હતું કે, પહેલેથી જ રિકરન્ટ સાયક્લોન, પૂર, દુષ્કાળ, ભારે વરસાદ અને ગરમ પવનની તીવ્ર અસરો હેઠળ છે અને આવી સ્થિતિમાં જો હવામાન વધુ તીવ્ર બને તો સમસ્યાઓ વધી શકે છે.
ભારતમાં હાલ આબોહવા પરિવર્તનની અસરોનું મૂલ્યાંકન કરવા માટે કોઈ અલગ વ્યવસ્થા નથી. IPCC રિપોર્ટને જોતા, એવું કહી શકાય કે, સમય આવી ગયો છે. જ્યારે આપણે આપણી પોતાની સિસ્ટમ વિકસાવીએ, જે જોખમ આકારણી કરી શકે. ભલે તે કોઈપણ વિકાસ કાર્ય હોય, પછી ભલે તે એક્સપ્રેસ વે હોય કે પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમ દરેક પાસાના જોખમોની આકારણી કર્યા બાદ જ કોઇ નિર્ણય લેવાની જરૂર છે.
વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યુટ ઇન્ડિયાના ક્લાઇમેટ પ્રોગ્રામના ડિરેક્ટર અલ્કા કેલકર કહે છે કે, શહેરોને વસાવતા પહેલા આપણે રિસ્ક એસસેસમેન્ટ કરવાની જરૂરત છે. આ સાથે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવી ટેકનોલોજી પર કામ કરવાની જરૂર છે, જે ગ્રીન હાઇડ્રોજન પેદા કરે છે અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે. નહીંતર આગામી સમયમાં ભારતની મોટી વસ્તી લૂ, ભારે વરસાદ અને વાવાઝોડાથી પીડાતી રહેશે. એ વાત પણ ધ્યાનામાં રાખવાની જરૂર છે કે, હવામાનની પરિસ્થિતિઓ માત્ર વીજળી અને પાણીને વિક્ષેપિત કરતી નથી, પણ તબીબી ઓક્સિજનના પુરવઠાને પણ અવરોધિત કરી શકે છે.