કેરળમાં કોરોના મૃતકોના શબને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવાની મંજૂરી
કેરળની સરકારે કોરોનાથી મરનારાના શબને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવાની તેમના પરિવારજનોને મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્લીઃ કેરળમાં કોરોના મહામારીનુ સંકટ હજુ પણ ચાલુ છે પરંતુ આ દરમિયાન કેરળની સરકારે કોરોનાથી મરનારાના શબને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવાની તેમના પરિવારજનોને મંજૂરી આપી દીધી છે. કેરળ સરકારના નિર્ણય બાદ હવે પરિવારજનો શબના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલ રીતિ-રિવાજને પૂરા કરી શકે છે. આ પહેલા કોવિડ પ્રોટોકૉલ હેઠળ કોરોનાથી મરનારના શબને ઘરે લઈ જવાની પરિવારજનોને મંજૂરી નહોતી.

કેરળમાં કોરોના સંક્રમણનો દર ઘટવાનુ નામ નથી લઈ રહ્યો. એક તરફ જ્યારે દેશમાં સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ કેરળમાં રોજ પાંચ આંકડામાં સંક્રમણના નવા કેસ આવી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના સક્રિય કેસ 5.52 લાખ છે જેમાં એકલા કેરળમાં 1 લાખ છે. કેરળના મુખ્યમંત્રી પિનારયી વિજયને સમીક્ષા બેઠક કર્યા બાદ જણાવ્યુ કે મહામારી દરમિયાન સૌથી મોટો મુદ્દો હતો કે સંબંધીઓ સ્વજનોનો ચહેરો મૃત્યુ પછી જોઈ શકતા નહોતા.
મુખ્યમંત્રીએ કહ્યુ કે સરકાર ઈચ્છે છે કે કોરોનાથી મરનારના શબને તેમના પરિવારજનો અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે અને પોતાની આસ્થા અનુસાર અંતિમ સંસ્કારની રસમો પૂરી કરી શકે. મુખ્યમંત્રીએ કહ્યુ કે રોજ સરેરાશ ટીપીઆર 10 ટકાથી ઉપર છે. અમે જલ્દી ટીપીઆરને 29.75 ટકાથી 10 ટકા સુધી લાવવામાં સફળ થયા છે પરંતુ હજુ પણ આમાં ઘટાડાની સંભાવના છે. અમારા માટે એ ચિંતાનો વિષય છે કે ટીપીઆ 10 ટકાથી નીચે નથી જઈ રહ્યો. ગયા સપ્તાહના આંકડા જોઈએ તે સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે કોરોનાનો ડેલ્ટા વેરિઅંટ ઘણો વધુ ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. પહેલી લહેરની તુલનામાં કોરોનાની બીજી લહેરે રાજ્યમાં ઘણી ઝડપથી પગ ફેલાવ્યા છે જેના કારણે આરોગ્ય વ્યવસ્થાને એટલી રીતે સારી ન કરી શકાય. કેરળમાં બીજી લહેર દરમિયાન કોરોના કેસોમાં ઘટાડો થતા થોડો સમય લાગશે. માટે આગળ લોકોને પ્રતિબંધોમાં છૂટ આપવાનો કોઈ આધાર નથી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
