ખેડૂત આંદોલનઃ કિલ્લાબંધી પાછળ દિલ્હી પોલીસે 9.7 લાખનો ખર્ચો કર્યો
ખેડૂત આંદોલનઃ કિલ્લાબંધી પાછળ દિલ્હી પોલીસે 9.7 લાખનો ખર્ચો કર્યો
પાછલા પોણા વર્ષથી દિલ્હીની બોર્ડર પર ખેડૂતો ડેરો જમાવીને બેઠા છે. કૃષિ કાયદાની વિરુદ્ધ સતત થઈ રહેલા આંદોલન બાદ પણ હજી સુધી કોઈ નિવેળો આવ્યો નથી. આંદોલનને પગલે દિલ્હી પોલીસે કિલ્લાબંધી કરવી શરૂ કરી દીધી હતી, જેની પાછળ 9.7 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હોવાનો ખુલાસો થયો છે. RTIમાં આ માહિતી સામે આવી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ 26 જાન્યુઆરીએ થયેલ હિંસાની ઘટના બાદ 1 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે રાજધાનીમાં જબરદસ્ત કિલ્લાબંધી કરી દીધી હતી. દિલ્હીના સિંધુ, ગાજીપુર અને ટીકરી બોર્ડર પર દિલ્હી પોલીસે બેરિકેડિંગ, સીમેન્ટની દિવાલો, ખિલ્લા લગાવવા અને કાંટાળા તાર લગાવવા વગેરેમાં 9.7 લાખનો ખર્ચો કર્યો.

26 જાન્યુઆરીની હિંસા બાદ થઈ હતી કિલ્લાબંધી
જણાવી દઈએ કે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે દિલ્હી પોલીસ તરફથી આ ઈંતેજામ કરવામાં આવ્યા હતા, કેમ કે 26 જાન્યુઆરીએ ખેડૂતોની ઉગ્ર ભીડ દિલ્હીના આઈટીઓ અને લાલ કિલ્લા સુધી પહોંચી ગઈ હતી. લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓએ સુરક્ષાબળો સાથે મારપીટ કરી અને સાર્વજનિક સંપત્તિને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.
ટિકરી બોર્ડર પર સૌથી વધુ ખર્ચો થયો
ઈન્ડિયા ટુડેને આરટીઆઈમાં અલગ અલગ ત્રણ જવાબ મળ્યા. એક જવાબમાં કહેવામાં આવ્યું કે, ટિકરી બોર્ડર પર મલ્ટીલેયર બેરિકેડિંગ કરવા પર અત્યાર સુધી 7.49 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે, જ્યારે ગાઝીપુર બોર્ડર માટે ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ પોલીસે જણાવ્યું કે અહીં સુરક્ષા વ્યવસ્થા પર અત્યાર સુધી 1.57 લાખ રૂપિયા ખર્ચ થયા છે. જ્યારે પોલીસની તહેનાતીને લઈ પોલીસે જણાવ્યું કે કોઈ ખર્ચો નથી થયો. સિંધુ બોર્ડર પર થયેલ ખર્ચને લઈ અધિકારીઓએ કંઈપણ જણાવવાનો ઈનકાર કરી દીધો. અધિકારીઓનું કહેવું છે કે અત્યારે ખેડૂત આંદોલન ચાલુ હોય આ વિશે જાણકારી ન આપી શકીએ.
-
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો -
જેદ્દાહથી 200 ભારતીયોને લઈને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચી -
IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં નહીં રમે રિંકુ સિંહ, મોટું કારણ આવ્યું સામે -
જોર્ડનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થિનીની સુરક્ષિત વાપસીમાં ઈફ્કોએ ભજવી મહત્વની ભૂમિકા










Click it and Unblock the Notifications
