Farmers Protest: હાઇવેને કાયમી ધોરણે બંધ કરી શકાય નહી: સુપ્રીમ કોર્ટ
કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને 10 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. વિરોધના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આ સંદર્ભે દાખલ કરવામાં આવેલી અરજી પર આજે (ગુરુવારે) સુપ્રીમ કોર્ટમાં સુનાવ
કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને 10 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. વિરોધના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આ સંદર્ભે દાખલ કરવામાં આવેલી અરજી પર આજે (ગુરુવારે) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આંદોલનકારી ખેડૂતો પર ટિપ્પણી કરતા કહ્યું કે કૃષિ કાયદા સંબંધિત સમસ્યાઓ ન્યાયિક મંચ, આંદોલન અથવા સંસદીય ચર્ચા દ્વારા ઉકેલી શકાય છે. SC એ પૂછ્યું કે હાઈવે કેવી રીતે બ્લોક કરી શકાય?

સુપ્રીમ કોર્ટે ગુરુવારે વિરોધને કારણે રોડ જામ દૂર કરવાની ખેડૂતોની અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે કોઈ પણ હાઈવે કાયમી ધોરણે બંધ કરી શકાતો નથી. કોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો પણ આપ્યો હતો અને કહ્યું હતું કે રાજમાર્ગો અને રસ્તાઓ બંધ ન કરવા જોઈએ. આ સિવાય કોર્ટે કેન્દ્ર સરકારને કેટલાક ખેડૂત નેતાઓ વિરુદ્ધ ફરિયાદ માટે એક અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે. સોમવારે અરજી દાખલ કરવામાં આવશે ત્યારે આ મામલાની સુનાવણી થશે.
નોંધનીય છે કે ખેડૂતોના આંદોલનને કારણે નોઈડા અને દિલ્હી વચ્ચેના મુસાફરો રસ્તા પર બેઠેલા ખેડૂતોને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લોકોને થયેલી અસુવિધાને ટાંકીને નોઈડાના એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેના પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સુનાવણી કરી હતી. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અમે ત્રણ સભ્યોની સમિતિ બનાવીને ખેડૂત આગેવાનોને બોલાવ્યા હતા અને અન્ય સ્થળે ધરણા કરવાની દરખાસ્ત કરી હતી, પરંતુ તેઓએ ના પાડી દીધી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે આ મામલે કોર્ટમાં અરજી કેમ નથી કરતા. ત્યારે સોલિસિટર તુષાર મહેતાએ કહ્યું કે અમે અરજી દાખલ કરીશું.
Supreme Court says redressal can be through judicial forum, agitation or parliamentary debates & asks how can highways be blocked & this can't be a perpetual problem, while hearing a plea for removing the road blockades by farmers due to protest pic.twitter.com/tKzzRg9BcM
— ANI (@ANI) September 30, 2021
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
