For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: રાકેશ ટિકૈત પર ભડક્યા ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ

Farmers Protest: રાકેશ ટિકૈત પર ભડક્યા ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ

|
Google Oneindia Gujarati News

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને ત્રણ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ સરકાર કે ખેડૂતો પોતાની વાતથી ટસથી મસ નથઈ થઈ રહ્યા પરંતુ આંદોલનમાં ખેડૂતોની ઘટી રહેલી સંખ્યા પર સવાલો ઉઠવા લાગ્યા છે. જો કે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે દાવો કર્યો કે અમારું આંદોલન ફીકું નથી પડ્યું, 13 તારીખે અમે પશ્ચિમ બંગાળમાં મીટિંગ અને નંદીગ્રામ-કોલકાતામાં પંચાયત કરશું અને ત્યાંના ખેડૂતોને નવા કૃષિ કાયદાની ખામીઓ જણાવશું.

ટિકૈત પર ભડક્યા ભાનુ

ટિકૈત પર ભડક્યા ભાનુ

પરંતુ ટિકૈતના આ એલાન પર ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાનુ પ્રતાપ સિંહ તેમના પર ભડકી ઉઠ્યા અને તેમણે આરોપ લગાવતા કહ્યું કે રાકેશ ટિકૈત બહુ પૈસા વાળો માણસ છે, તે કંઈપણ કરી શકે છે, જ્યાં મન હોય ત્યાં જઈ શકે છે. તે લંડન, અમેરિકા, જાપાન અને ચાંદ પર પણ જઈ શકે છે, એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હકીકત તો એ છે કે ખેડૂતોની સમસ્યાનું જે સમાધાન થવાનું હતું તે રાજનૈતિક કીચડમાં ફસાઈ ગયું છે. ખેડૂત નેતાઓ રાજનૈતિક પાર્ટીઓ સાથે મળી વિવિધ રીતો અપનાવી રહ્યા છે, જે પૂર્ણ રૂપે ખોટું છે અને ખેડૂતોના હિતમાં નથી.

વિવિધ રાજ્યોમાં પંચાયત કરી રહ્યા છે ટિકૈત

વિવિધ રાજ્યોમાં પંચાયત કરી રહ્યા છે ટિકૈત

જણાવી દઈએ કે ભાનુપ્રતાપ સિંહે અગાઉ પણ રાકેશ ટિકૈત પર આવા પ્રકારના આરોપ લગાવ્યા હતા. જણાવી દઈએ કે રાકેશ ટિકૈત હાલ વિવિધ રાજ્યોમાં પંચાયત કરી રહ્યા છે અને જનસભા સંબોધિત કરી રહ્યા છે. ટિકૈત સતત કૃષિ કાયદાને લઈ મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. તેઓ વારંવાર કહી રહ્યા છે કે અમારે સંશોધન નથી જોઈતું, અમે ઈચ્છીએ છીએ કે નવા કાયદા રદ્દ થઈ જાય. સરકારે કોઈપણ પ્રકારના મંતવ્યો વિના આ કાયદા બનાવી લીધા છે અને હવે અમને પૂછી રહ્યા છે કે કાયદામાં શું કમી છે?

જ્યાં સુધી કાયદાની વાપસી નહિ ત્યાં સુધી ઘર વાપસી નહિ

જ્યાં સુધી કાયદાની વાપસી નહિ ત્યાં સુધી ઘર વાપસી નહિ

ટિકૈતે કહ્યું કે સરકાર નવા કાયદા દ્વારા અનાજને તિજોરીમાં બંધ કરવા માંગે છે, ભૂખ પર વ્યાપાર કરવા માંગે છે તો આવું નહિ થાય, અમે આવું નહિ થવા દઈએ. ટિકૈતે કહ્યું કે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો એકજુટ છે અને સરકારે તે પરત લેવા જ પડશે. સરકારે એમએસપીની ગેરન્ટી આપવી પડશે. જ્યાં સુધી ત્રણેય કાયદા પરત નહિ થાય ત્યાં સુધી ખેડૂતોની ઘર વાપસી નહિ થાય.

'ઘાયલ વાઘણ વધુ આક્રમક બની જાય છે', મમતા બેનર્જી વિશે શિવસેનાનો BJP પર હુમલો'ઘાયલ વાઘણ વધુ આક્રમક બની જાય છે', મમતા બેનર્જી વિશે શિવસેનાનો BJP પર હુમલો

English summary
Farmers Protest: President of Indian Farmers Union angry over Rakesh Tikait. રાકેશ ટિકૈત પર ભડક્યા ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X