For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: સુપ્રીમ કોર્ટનો ખેડૂતોની 26 જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડ રોકવાનો ઈનકાર

સુપ્રીમ કોર્ટે(Supreme Court)ખેડૂતોની ગણતંત્ર દિવસ પર પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલી રોકવાનો ઈનકાર કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે(Supreme Court)ખેડૂતોની ગણતંત્ર દિવસ પર પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલી રોકવાનો ઈનકાર કરી દીધો છે. ટ્રેક્ટર રેલીના વિરોધમાં દિલ્લી પોલિસની અરજી પર સુનાવણી કરીને બુધવારે અદાલતે કહ્યુ કે અમે આ ટ્રેક્ટર રેલી પર કે 26 જાન્યુઆરી પર કોઈ બીજા પ્રદર્શન પર કોઈ પ્રકારની રોક લગાવવાનો કોઈ આદેશ નહિ આપીએ. કોર્ટે કહ્યુ કે આના પર નિર્ણય લેવાનુ કામ પોલિસનુ છે. પોલિસ જુએ કે કઈ રીતે આને મેનેજ કરવાનુ છે, અમે કોઈ આદેશ નહિ આપીએ.

SC

કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ 26 જાન્યુઆરીએ દિલ્લીમાં ટ્રેક્ટર રેલી કાઢવાનુ એલાન કર્યુ છે. આ રેલી પર રોક લગાવવાના આદેશની માંગ કરીને કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી. આના પર બુધવારે સુનાવણી કરીને કોર્ટે કહ્યુ કે સરકાર કેમ ઈચ્છે છે કે ટ્રેક્ટર રેલીને અમે રોકીએ, સરકાર ખુદ નિર્ણય લે. ખેડૂતોને દિલ્લીમાં એન્ટ્રી આપવામાં આવે કે નહિ, કે પછી ક્યાં સુધી એન્ટ્રી આપવામાં આવે, એ પોલિસ જ નક્કી કરશે. આ કાયદો-વ્યવસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે તો આના માટે યોગ્ય ઑથોરિટી પોલિસ છે.

સુપ્રીમ કોર્ટે કોઈ આદેશ આપવાનો ઈનકાર કરીને કેન્દ્રને ટ્રેક્ટર રેલી રોકવા માટે આપવામાં આવેલી આ અરજી પાછી લેવા માટે કહ્યુ. ત્યારબાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી લઈ લીધી છે. સુપ્રીમ કોર્ટમાં અમુક ખેડૂત સંગઠનો તરફથી હાજર થયેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યુ કે ખેડૂતો ગણતંત્ર દિવસ પર માત્ર દિલ્લીના આઉટર રિંગ રોડ પર ટ્રેક્ટર માર્ચ કાઢવા માંગે છે. તેમનો રાજપથ તરફથી આવતા કે કોઈ પણ પ્રકારની પરેડમાં વિઘ્ન નાખવાનો કોઈ ઈરાદો નથી. આ માર્ચ શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવશે.

અત્યાર સુધી ખેડૂતોના આંદોલનને જોઈને કહી શકાય છે કે આનાથી કોઈ કાયદો વ્યવસ્થાને કોઈ જોખમ નથી. વળી, દિલ્લીમાં સરકાર સાથે બેઠક માટે પહોંચેલા ખેડૂત નેતાઓએ કહ્યુ છે કે અમે 26 જાન્યુઆરીએ સરકારની પરેડમાં અડચણ નહિ કરીએ. અમે પોતાની ટ્રેક્ટર રેલી રિંગ રોડ પર કરવા માંગીએ છીએ અને આના માટે સરકારે જિદ છોડીને મંજૂરી આપવી જોઈએ.

PM મોદીએ જારી કર્યા 2691 કરોડ, 6 લાખ લોકોના ખાતામાં પહોંચ્યાPM મોદીએ જારી કર્યા 2691 કરોડ, 6 લાખ લોકોના ખાતામાં પહોંચ્યા

English summary
Farmers Protest: SC will not pass any order on proposed tractor rally by farmers on Republic Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X