નાણા મંત્રી નિર્મલા સીતારામણનો કોંગ્રેસ પર પલટવાર, BJPમા કોઇ જીજા નથી
લોકસભામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારામને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. મોદી સરકારની સિદ્ધિઓ ગણાવાની સાથે તેમણે કોંગ્રેસ સરકાર ઉપર જોરદાર પ્રહાર કર્યા.
લોકસભામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારામને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. મોદી સરકારની સિદ્ધિઓ ગણાવાની સાથે તેમણે કોંગ્રેસ સરકાર ઉપર જોરદાર પ્રહાર કર્યા. તેમણે કહ્યું હતું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં માત્ર મોટા લોકો જ નહીં પરંતુ નાના ઉદ્યોગપતિઓને પણ લાભ મળે છે.
મોદી સરકારની સિધ્ધિઓ ગણાવી તેમણે કહ્યું કે ઉજ્વલા યોજના, આયુષ્માન યોજના અને પીએમ કિસાન સન્માન નિધિમાં જે લોકોને લાભ મળી રહ્યો છે તે આપણા ભાઈઓ છે? દેશમાં 11 કરોડ મકાનોમાં શૌચાલયો બનાવવામાં આવ્યા છે, તે કોઈના જીજાના મકાનમાં બનાવવામાં આવ્યા હતા? 8.1 કરોડ ખેડૂત કોણ છે જેમને પીએમ કિસાન સન્માન નિધિ મળે છે? દરેક જણ આપણા ભાઈ કે ભાઈ-જીજા છે. તેમણે કહ્યું કે ભાજપ પક્ષમાં ભાઈ-જીજા નથી, બધા કાર્યકર છે.
Finance Minister Nirmala Sitharaman in Lok Sabha: We are a government that listens, whether it is criticism or an input. When Home Minister responded to an industry leader, it was with a clear attitude that we are willing to hear or take criticism. pic.twitter.com/cIuUElUd4q
— ANI (@ANI) December 2, 2019
આ સાથે જ રાહુલ બજાજના નિવેદને હોબાળો મચાવ્યો હતો તેનો જવાબ આપતા કહ્યું હતું કે તે માત્ર મોદી સરકાર છે જે ટીકાઓ પણ સાંભળે છે. તેમણે કહ્યું કે સરકારના ઘણા પ્રધાનો જવાબ આપવા સંસદમાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખુદ વડાપ્રધાન મોદી પણ જવાબ આપવા માટે ગૃહમાં આવ્યા હતા. ભાજપ ટીકાથી ભાગતુ નથી. તેમણે કહ્યું કે જો સરકાર સાંભળે તો તે પીએમ મોદીની સરકાર છે.
Finance Minister Nirmala Sitharaman in Lok Sabha: I have been told that I am the worst Finance Minister, they're not even waiting for me to finish my term. I told them that please give me more ideas, we will work on it. If there's a govt that listens, it is PM Modi's govt. pic.twitter.com/BZUuCVgHn4
— ANI (@ANI) December 2, 2019