મુંબઈઃ મઝગાંવમાં ઈમારતમાં લાગી ભીષણ આગ, ઘણા લોકો ફસાયા
મુંબઈના મઝગાંવ વિસ્તારમાં સોમવારે બપોરે એક રહેણાંક વિસ્તારમાં આગ લાગી ગઈ.
મુંબઈના મઝગાંવ વિસ્તારમાં સોમવારે બપોરે એક રહેણાંક વિસ્તારમાં આગ લાગી ગઈ. જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઈમારતમાં ફસાયા છે. ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહી છે. સાથે જ મુંબઈ પોલિસ અને ફાયર બ્રિગેડના જવાન લોકોને બહાર કાઢવાનુ કામ કરી રહ્યા છે. હાલમાં આગ લાગવાના કારણ વિશે જાણી શકાયુ નથી.
માહિતી મુજબ મઝગાંવમાં એક રહેણાંક ઈમારતમાં સોમવારે આગની જ્વાળાઓ નીકળવા લાગી. આગ લાગતા જ મોટાભાગના લોકો ઈમારતમાંથી નીકળી આવ્યા પરંતુ 8-10 લોકો અંદર જ ફસાઈ ગયા. ત્યાં ઘટના સ્થળે પહોંચીને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરીે 5મા માળેથી બે લોકોને બચાવ્યા છે. વળી, 7 લોકો હજુ પણ 7મા માળે ફસાયેલ છે જેમને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ઘટના સ્થળે ચાર ફાયર બ્રિગેડની ગાડીઓની મદદથી આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. હાલમાં ધૂમાડાના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે.
Maharashtra: A level 2 fire has broken out at a residential building in Mazgaon area in Mumbai. Two people have been rescued from the 5th floor of the building by fire dept. 7 people are still stranded on 7th floor. Fire extinguishing & rescue operations are underway. https://t.co/AfhoZnobH0 pic.twitter.com/7MsAke1nbB
— ANI (@ANI) May 18, 2020
જ્યાં સુધી અંતિમ પ્રવાસી પોતાના પરિવારને મળી ન જાય ત્યાં સુધી લડતો રહીશઃ સોનુ સૂદ