ચારા કૌભાંડમાં આજે આવશે ચુકાદો, લાલુએ કહ્યું હું નિર્દોષ છું
ચારા કૌભાંડમાં આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ પર આજે રાંચીની કોર્ટે બપોરે 3 વાગ્યાની આસપાસ તેનો નિર્ણય સંભળાવશે. જો કે કોર્ટમાં હાજર થતા પહેલા લાલુ યાદવે તેમને યોગ્ય ન્યાય મળશે.
બિહારના બહુચર્ચિત ચારા કૌભાંડમાં આજે રાંચીની સીબીઆઇ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. 950 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ પર 6 અલગ અલગ કેસ ચાલી રહ્યા છે. રાંચી સ્થિતિ સીબીઆઇની વિશેષ અદાલતે આ મામલે સુનવણી કરી લીધી છે. ત્યારે લાલુ યાદવ તેમના પરિવાર સાથે સવારે કોર્ટમાં પહોંચ્યા હતા. આ કેસમાં 3 વાગ્યા પછી કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. કોર્ટમાં જતા પહેલા લાલુ યાદવે મીડિયામાં નિવેદન આપીને કહ્યું હતું કે તેમને ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે. અને હું નિર્દોષ સાબિત થઇશ. સાથે જ તેમણે કહ્યું કે કોર્ટમાં વકીલોએ મારા પક્ષમાં પુરાવા આપ્યા છે. સાથે જ લાલુ યાદવે પાર્ટીના કાર્યકર્તાઓ તથા બિહારની જનતાને અપીલ કરી છે કે જે પણ નિર્ણય આવે બિહારની શાંતિ વ્યવસ્થા બનાવી રાખજો.

વધુમાં આ પહેલા લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું છે કે લાલુ યાદવને રાજનૈતિક કાવરતા હેઠળ આ કૌભાંડમાં ફસાવવામાં આવ્યા છે. તેજસ્વી યાદવે એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નિર્ણય તેમના જ હકમાં આવશે. જો કે રાંચી કોર્ટની બહાર લાલુ યાદવના સમર્થકોની મોટી ભીડ નિર્ણય સાંભળવા માટે આતુરતાથી ઊભી છે. બીજી તરફ પોલીસે પણ સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોવસ્ત કરી રખ્યો છે. નોંધનીય છે કે આ કેસમાં 2003માં લાલુ યાદવને 5 વર્ષની સજા પણ સંભળાવવામાં આવી હતી. અનેન ચૂંટણી પંચે લાલુ યાદવને ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે જેલ ગયા પછી લાલુ યાદવને આ મામલે સુપ્રીમ કોર્ટથી જમાનત મળી હતી. ચારા કૌભાંડમાં લાલુ યાદવ પર 6 અલગ અલગ કેસ ચાલી રહ્યા છે. જે જોતા ફરી એક વાર તેમને જેલમાં જવું પડે તેવી પણ સંભાવનાઓ ઊભી થઇ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
