રાફેલ ડીલ પર મનોહર પરિકરની નોટ આવી સામે, લખી હતી આ વાત
શુક્રવારે રાહુલ ગાંધીએ ‘ધ હિંદુ'માં છપાયેલ સમાચાર બાદ ફરીથી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે.
રાફેલ ડીલ માટે શરૂ થયેલો વિવાદ સતત વધી રહ્યો છે. શુક્રવારે રાહુલ ગાંધીએ 'ધ હિંદુ'માં છપાયેલ સમાચાર બાદ ફરીથી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ફ્રાંસમાં થનારી આ રક્ષા ખરીદમાં સીધા પીએમઓની દખલ હતી. જો કે સંરક્ષણ મંત્રાલયે આ દખલનો વિરોધ કર્યો હતો. વર્તમાનપત્રમાં પ્રકાશિત સરકારી દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે તત્કાલિન રક્ષા સચિવ જી મોહન કુમારે ડિસેમ્બર 2015માં રાફેલ ડીલ અંગે તત્કાલિન સંરક્ષણ મંત્રી મનોહર પરિકરને એક પત્ર લખ્યો હતો.

રક્ષા સચિવે ફાઈલ પર લખી હતી આ વાત
રાફેલ સોદાના આ દસ્તાવેજ પર રક્ષા સચિવે લખ્યુ હતુ, આરએમ (સંરક્ષણ મંત્રી) કૃપા કરી આ જુઓ. સારુ રહેશે કે પ્રધાનમંત્રી કાર્યાલય આ પ્રકારની વાતચીત ન કરે કારણકે આનાથી સોદો કરવા મામલે આપણી સ્થિતિ ઘણી નબળી થઈ જાય છે. રક્ષા સચિવે પોતાની ટિપ્પણી 1 ડિસેમ્બર 2015ના રોજ લખી હતી. લગભગ 40 દિવસો બાદ એટલે કે 11 જાન્યુઆરી 2016ના રોજ સંરક્ષણ મંત્રી મનોહર પરિકરે પોતાની આ ટિપ્પણી નોંધી હતી.
|
ફકરા 5માં જરૂરતથી વધુ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી
સંરક્ષણ મંત્રી પરિકરે લખ્યુ, શિખર બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય અને ફ્રાંસના રાષ્ટ્રપતિ કાર્યાલય સમગ્ર મામલે પ્રગતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે લખ્યુ કે ફકરા 5માં જરૂરતથી વધુ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. ડીઆઈ સેક (રક્ષા સચિવ) પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી સાથે પરામર્શ કરીને સમસ્યા/મામલાને ઉકેલી શકે છે. સંરક્ષણ મંત્રીની ટિપ્પણીવાળા આ નોટિંગ બાદ કોંગ્રેસના એ આરોપોને બળ મળ્યુ છે કે રાફેલ જેટની ખરીદી સાથે જોડાયેલી ડીલમાં પ્રધાનમંત્રી કાર્યાલય સીધી રીતે દખલ આપી રહ્યુ હતુ.

એક સમાચારપત્રએ સંરક્ષણ સચિવની નોટિંગને પ્રકાશિત કરી
આ ખુલાસાઓ બાદ આ મામલો સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડેગેએ આને ગંભીર મામલો જણાવતા કહ્યુ કે જ્યારે પ્રધાનમંત્રી, સંરક્ષણમ મંત્રી અને એર ચીફ માર્શલ આ મુદ્દે અલગ અલગ વાત કહી રહ્યા છે ત્યારે સત્ય બહાર લાવવા માટે માત્ર જેપીસીનો રસ્તો બચે છે. આ તરફ આ હોબાળા પર સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે વર્તમાનપત્ર પર સવાલ ઉઠાવતા કહ્યુ કે એક વર્તમાનપત્રાએ સંરક્ષણ સચિવની નોટિંગને પ્રકાશિત કરી. જો કોઈ સમાચારરપત્ર એક નોટિંગ છાપી શકે છે તો પત્રકારિતાની નૈતિક માંગ છે કે તત્કાલિન સંરક્ષણમંત્રીનો જવાબ પણ પ્રકાશિત કરવામાં આવે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
