પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીને હ્રદયરોગનો હુમલો આવતા નિધન
લોકસભાના પૂર્વ સ્પીકર અને સીપીઆઈના પૂર્વ નેતા સોમનાથ ચેટર્જીનુ આજે સવારે હ્રદયરોગના હુમલાના કારણે નિધન થઈ ગયુ.
લોકસભાના પૂર્વ સ્પીકર અને સીપીઆઈના પૂર્વ નેતા સોમનાથ ચેટર્જીનુ આજે સવારે હ્રદયરોગના હુમલાના કારણે નિધન થઈ ગયુ. હ્રદયરોગનો હુમલો આવ્યા બાદ તેમને કોલકત્તાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. સોમનાથ ચેટર્જી 2004 થી 2009 સુધી લોકસભાના સ્પીકર પણ રહ્યા. શનિવારે તેમને હ્રદયરોગનો હુમલો આવ્યા બાદ કોલકત્તાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. સોમનાથ ચેટર્જીનો જન્મ જુલાઈ, 1929 ના રોજ તેજપુરમાં થયો હતો.
89 વર્ષીય સોમનાથ ચેટર્જીને રવિવારે હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. તે આઈસીયુમાં ભરતી હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર ચેટર્જીનો ઈલાજ લગભગ 40 દિવસોથી ચાલી રહ્યો હતો. સ્વાસ્થ્યમાં સુધારો જણાતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં તેમનું ડાયાલિસીસ કરવામાં આવતુ હતુ. તે કિડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આવી પરિસ્થિતિમાં હ્રદય ઘણી વાર કામ કરવાનું બંધ કરી દે છે.