ઉર્જિત પટેલનું રાજીનામું દેશની અર્થવ્યવસ્તા માટે મોટો ફટકોઃ મનમોહન સિંહ
ઉર્જિત પટેલનું રાજીનામું દેશની અર્થવ્યવસ્તા માટે મોટો ફટકો
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામાએ ભારતીય રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. જ્યાં એક બાજુ ઉર્જિત પટેલ રાજીનામા પાછળ અંગત કારણનો હવાલો આપી રહ્યા છે તો બીજી બાજુ વિપક્ષ સરકાર પર ગંભીર આરોપો લગાવી રહ્યો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નરના રાજીનામાં પર બોલતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે ઉર્જિત પટેલનું અચાનક રાજીનામું આપવું દુર્ભાગ્યપૂર્ણ અને દેશની અર્થવ્યવસ્થા માટે એક ગંભીર ફટકો છે. મનમોહન સિંહે સોમવારે ભાજપ સરકાર પર દેશને ખોટા રસ્તે લઈ જવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે તેમની ગતિવિધિઓને પગલે રાષ્ટ્રની સ્વતંત્રતા ખતરામાં પડી શકે છે.

ઉર્જિત પટેલનાં રાજીનામાં પર બોલતાં પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું- હું ડૉ. પટેલને સન્માનિત અર્થશાસ્ત્રી અને ભારતના નાણાકીય સંસ્થાઓ અને આર્થિક નીતિઓ અંગે ઉંડાણથી દેખરેખ કરનાર વ્યક્તિના રૂપમાં જાણું છું. એમનું અચાનક રાજીનામું આફવું દુર્ભાગ્યપૂર્ણ અને દેશની અર્થવ્યવસ્થા માટે એક ગંભીર ઝટકો છે.
આ પણ વાંચો- સરકાર સાથે બબાલ બાદ RBIના ગવર્નર ઉર્જિત પટેલનું રાજીનામું
પૂર્વ વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસે દેશની સ્વતંત્રતાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમણે કહ્યું કે અલ્પકાલિન રાજનૈતિક લાભ ઉઠાવવા માટે સંસ્થાઓને નીચી દેખાડવી અણસમજ બરાબર જ છે. તેમણે આરોપ લગાવ્યો કે પાછલા સાડા ચાર વર્ષથી ભાજપે એવી વાતોને બળ આપ્યું છે જે ભારતીય ઈતિહાસને પ્રતિકૂળ ઢંગથી પ્રભાવિત કરી શકે છે. તેમણે કહ્યું, આનાથી ફરી એકવાર દેશની આઝાદી ખતરામાં પડી શકે છે. અહીં એક કાર્યક્રમમાં સિંહે કેન્દ્ર સરકાર પર હુમલો બોલતાં કહ્યું કે હું લોકોને અપીલ કરવા માગું છું કે તેઓ સમજે કે હાલની સરકાર કેવી રીતે રાષ્ટ્રને ખોટા રસ્તે લઈ જઈ રહી છે. આની સામે મજબૂતાઈથી લડવાની જરૂરત છે.
આ પણ વાંચો- પૂર્વ નાણાં સચિવ શક્તિકાંત દાસ નવા આરબીઆઇ ગવર્નર બની શકે છે: સૂત્ર
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
