પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે ચન્ની પર લગાવ્યો આરોપ, કહ્યું- ગેરકાયદે ખનનમાં સીએમ ચન્નીનો પણ ભાગ
પંજાબની ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન કરનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સત્તારૂઢ કોંગ્રેસ પર પ્રહાર કરનાર બન્યા છે. અમરિંદરે પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર મોટો આરોપ લગાવ્યો છે. અમરિંદરે કહ્યુ
પંજાબની ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન કરનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સત્તારૂઢ કોંગ્રેસ પર પ્રહાર કરનાર બન્યા છે. અમરિંદરે પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર મોટો આરોપ લગાવ્યો છે. અમરિંદરે કહ્યું છે કે, "સોનિયા ગાંધીએ મને પૂછ્યું કે ગેરકાયદેસર રેતી ખનનમાં કોણ સામેલ છે? તો મેં તેમને કહ્યું કે નીચેથી ઉપર સુધી દરેક તેમાં સામેલ છે. ભૂલ એ હતી કે મેં મારા કાર્યકાળ દરમિયાન તેમના પર કાર્યવાહી કરી ન હતી. એટલા માટે નહીં કે, ચન્નીએ તેનો પણ એક ભાગ છે."

અમરિંદરે કહ્યું, "મારા કાર્યકાળ દરમિયાન પણ ગેરકાયદે રેતી ખનન સામે આવ્યું હતું. વાસ્તવમાં, હું મારા પ્લેનમાં સતલજ નદી પર જઈ રહ્યો હતો, પછી જોયું કે નીચે ખાણકામ ચાલી રહ્યું હતું. પછી મેં તપાસ કરાવી. ત્યાર બાદ રેતીનો મુદ્દો.મને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પૂછ્યું હતું. તેમણે મને પૂછ્યું હતું કે,આને રોકવા માટે તમે શું કરવા જઈ રહ્યા છો?પછી મેં તેમને પૂછ્યું કે તમે મને કહો કે શું પગલાં લેવા જોઈએ, કારણ કે જો તે શરૂ થશે તો તે નીચેથી ઉપર આગળ વધશે."
વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અંગે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, "હવે તેમને સવાલો પૂછવા જોઈએ. કારણ કે, ચન્ની પણ રેતી ખનન સાથે સંકળાયેલા છે. ઘણા વરિષ્ઠ મંત્રીઓ પણ આમાં છે. અમરિંદરે કહ્યું કે, હું માનું છું કે પંજાબમાં માફિયાઓનું વર્ચસ્વ છે અને તેમાં મંત્રીઓનો હિસ્સો પણ સામેલ છે. તમારે (પત્રકાર) ચરણજીત સિંહ ચન્નીને પ્રશ્નો પૂછવા જોઈએ."












Click it and Unblock the Notifications
