પાંચ વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે પપ્પૂ યાદવ

pappu-yadav
પટના, 21 મે: માકપાના ધારાસભ્ય અજિત સરકાર હત્યા કેસમાં જેલમાં બંધ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના પૂર્વ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પૂ યાદવ મંગળવારે બેઉર જેલમાંથી બહાર આવી ગયા છે. ગત શુક્રવારે પટના હાઇકોર્ટે પુરાવાના અભાવે પપ્પૂ યાદવને હત્યાકાંડ કેસમાંથી છોડી મુકવામાં આવ્યાં હતા. વામપંથી દળોએ ગત શનિવારે સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની માંગણી કરી હતી.

પપ્પૂ યાદવનું જેલની બહાર સ્વાગત કરવા માટે ભારે સંખ્યામાં સમર્થકો ભેગાં થયા હતા. સમર્થકોએ મિઠાઇ વહેંચી હતી અને પપ્પૂ યાદવના સમર્થનમાં નારેબાજી લગાવી હતી. પપ્પૂ યાદવની પત્ની અને પૂર્વ સાંસદ રંજીત રંજન અને રાજદ તથા કોંગ્રેસના કેટલાક નેતા બેઉર જેલની બહાર હાજર હતા. પપ્પૂ યાદવે કહ્યું હતું કે તેમને કોર્ટે ન્યાય આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અજીત સરકારની 14 મે 1998માં પાર્ટીની મીટિંગમાંથી પરત ફરતી વખતે હત્યા કરવામાં આવી હતી. સીબીઆઇની વિશેષ કોર્ટે પપ્પૂ યાદવ સાથે બાહુબલી રાજન તિવારી અને અનિલ યાદવને ફેબ્રુઆરી 2008માં ઉંમરકેદની સજા સંભળાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X