પૂર્વ પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાનું નિધન, આજે સાંજે અંતિમ સંસ્કાર
મુંબઇ, 24 નવેમ્બર: વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને યૂપીએ સરકારમાં પેટ્રોલિયમ મંત્રી રહી ચૂકેલા મુરલી દેવડાનું નિધન થઇ ગયું છે. સોમવારે સવારે 3:25 વાગે તેમણે મુંબઇ સ્થિત પોતાના નિવાસમાં અંતિમ શ્વાસ લીધો. મુરલી દેવડા ગત કેટલાક દિવસોથી કેંસરથી પીડિતા હતા. મુરલી દેવડાનું આજે સાંજે 4 વાગે મુંબઇમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

77 વર્ષના મુરલી દેવડા લગભગ પાંચ દાયકા સુધી કેન્દ્રિય રાજકારણમાં સક્રિય રહ્યાં. મુરલી દેવડા રાજ્યસભા સાંસદ હતા અને ગાંધી પરિવારના ખૂબ નજીક ગણવામાં આવતા હતા. તો બીજી તરફ તેમના નિધનથી પાર્ટી માટે નિશ્વિતપણે એક મોટું નુકસાન છે. પોતાના લાંબા રાજકીય અનુભવના લીધે મુરલી દેવડાને મુંબઇ કોંગ્રેસના ભીષ્મ પિતામહ કહેવામાં આવતા હતા અને ખરેખર કોંગ્રેસ માટે મુરલી દેવડાની ભરપાઇ કરવી મુશ્કેલ છે.
Just yesterday I had spoken to Shri Murli Deora's family & asked about his health. Very sad to hear the unfortunate news today.
— Narendra Modi (@narendramodi) November 24, 2014 મુરલી દેવડાએ પોતાના રાજકીય કેરિયરની શરૂઆત 1968માં કરી હતી જ્યારે તે મુંબઇમાં કાઉન્સીલર તરીકે ચૂંટાયા હતા. 1977માં શિવસેનાની મદદથી મુરલી દેવડા મુંબઇના મેયર ચૂંટવામાં આવ્યા.
My deepest condolences to@milinddeora& the Deora family on Shri Murli Deora's demise. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) November 24, 2014 જો કે 1980માં તે દક્ષિણ મુંબઇ લોકસભાની ચૂંટણીમાં હારી ગયા પરંતુ આ સીટ પર 1984 અને 1989ની લોકસભા ચૂંટણીમાં તેમણે જીત પ્રાપ્ત કરી. 2004માં મુરલી દેવડાને કોંગ્રેસે રાજ્યસભામાંથી સાંસદ બનાવવામાં આવ્યા. 2006માં મુરલી દેવડાને યૂપીએ સરકારમાં કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી બનાવવામાં આવ્યા. 2011 સુધી મુરલી દેવડા કેન્દ્રમાં કોર્પોરેટ મામલાના મંત્રી હતા.
My heartfelt condolence to Deora family on the demise on Shri Murli Deora . We lost a social, political activist & good parliamentarian .
— Mukhtar Abbas Naqvi (@naqvimukhtar) November 24, 2014 MurliDeora done great service for Mumbai big loss fir Mumbai & Congress
— Kirit Somaiya (@KiritSomaiya) November 24, 2014 -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
