ભારતમાં પહેલાની સરખામણીમાં 'આઝાદી' થઈ ઓછી, જાણો 'ફ્રીડમ હાઉસ'નો રિપોર્ટ
ભારતમાં પહેલાની સરખામણીમાં સ્વતંત્રતા એટલે કે આઝાદી થોડી ઓછી થઈ છે.
વૉશિંગ્ટનઃ ભારતમાં પહેલાની સરખામણીમાં સ્વતંત્રતા એટલે કે આઝાદી થોડી ઓછી થઈ છે. એવુ અમેરિકાની ફ્રીડમ હાઉસે પોતાના એક રિપોર્ટમાં કહ્યુ છે. ફ્રીડમ હાઉસે બુધવારે પોતાના રિપોર્ટમાં ભારતને ડાઉનગ્રેડ કરીને 'સ્વતંત્ર' દેશમાંથી 'આંશિક રીતે સ્વતંત્ર' તરીકે કરી દીધો છે. ફ્રીડમ હાઉસ એક અમેરિકી રિસર્ચ સંસ્થા છે જે દર વર્ષે ફ્રીડમ પર પોતાના રિપોર્ટ લાવે છે. આ વખતના રિપોર્ટમાં તેણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરી છે.
ડેમોક્રેસી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ સંપૂર્ણપણે સ્વતંત્ર છે જેનુ ફંડિંગ અમેરિકા કરે છે. સંસ્થાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે વર્ષ 2014માં ભારતમાં જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે તે બાદથી જ રાજકીય અધિકારી અન નાગરિક સ્વતંત્રતામાં કમી આવી છે. રિપોર્ટમાં ભારતમાં મુસલમાનો સામે હિંસા, પત્રકારોને ડરાવવા અને ન્યાયિક હસ્તક્ષેપના વધારા તરફ ઈશારો કર્યો છે.
ફ્રીડમ હાઉસે પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યુ કે ભારતમાં એક વૈશ્વિક લોકતાંત્રિક નેતા તરીકે મોદીએ પોતાની ક્ષમતા છોડી છે. તે સમાવેશી અને બધા માટે સમાન અધિકારીની કિંમત પર સંકીર્ણ હિંદુ રાષ્ટ્રવાદી હિતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. વળી, ભારતમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉનનો ઉલ્લેખ કરીને જણાવ્યુ કે દેશભરમાં મોટાપાયે શ્રમિકોને તેમના ગામ પગપાળા જવા માટે બાધ્ય કરવામાં આવ્યા હતા. વળી, કોરોનાનો બધો દોષ મુસલમાનો પર લગાવી દેવામાં આવ્યો. જે વાયરસના ફેલાવમાં અસંગત રૂપે દોષી હતા. ફ્રીડમ હાઉસ રેકિંગમાં મિલિયન-પ્લસ દેશોના ઘટાડા સાથે કહ્યુ કે દુનિયાની 20 ટકાથી ઓછી વસ્તી મુક્ત દેશોમાં રહે છે જે 1995 બાદ સૌથી ઓછી છે.
'ફ્રીડમ ઈન ધ વર્લ્ડ' રાજકીય અધિકારો અને નાગરિક સ્વતંત્રતા પર એક વાર્ષિક વૈશ્વિક રિપોર્ટ છે. આ રિપોર્ટમાં એક જાન્યુઆરી 2020થી લઈને 31 ડિસેમ્બર 2020 સુધી 25 પોઈન્ટ માટે 195 દેશો અને 15 રાજ્યો પર રિસર્ચ કરવામાં આવ્યુ. રિપોર્ટમાં શામેલ 195 દેશોમાંથી માત્ર બેને જ પૉઝિટીવ રેટિંગ આપવામાં આવ્યુ. નાગરિક સ્વતંત્રતામાં ભારતને 60માંથી 33 પોઈન્ટ આપવામાં આવ્યા છે. જ્યારે રાજકીય અધિકારો પર 40માંથી 34 પોઈન્ટ આપવામાં આવ્યા.
કેરળ ચૂંટણી પહેલા સંકટમાં કોંગ્રેસ, 4 મોટા નેતાઓના રાજીનામા