ને કુદરતના અજૂબાથી ગાયબ થઇ ગયો પડછાયો
ઇન્દોર, 22 જૂનઃ કર્ક રેખા પર સ્થિત ઉજ્જૈનમાં શુક્રવારે બપોરે કુદરતનો અનોખો નજારો જોવા મળ્યો, જ્યારે વર્ષના સૌથી મોટા દિવસ વાર્ષિક ખગોળીય ઘટના હેઠળ 12. 28 મીનિટે પડછાયાએ બધાનો સાથ છોડી દીધો.

ઉજ્જૈનની જીવાજી વૈધશાળાના પ્રભારી અધીક્ષક દીપક ગુપ્તે જણાવ્યું કે, પૃથ્વી દ્વારા સૂર્યની પરિક્રમા દરમિયાન બનેલી વિશિષ્ઠ સ્થિતિના કારણે 12.28 મીનિટ પર સૌરમંડળના મુખિયા કર્ક રેખા પર એકદમ લમ્બવત થઇ ગયા, એટલે કે સૂર્યના કિરણો આ રેખા પર સ્થિત જગ્યા પર એકદમ સીધા પડ્યા. એ સમયે ઉજ્જૈનમાં પણ પડછાયો થોડાક સમય માટે ગાયબ થઇ ગયો. તેમણે જણાવ્યું કે કર્ક રેખા પર પોતાની ખાસ સ્થિતિના કારણે ઉજ્જૈન વિશ્વના એક ગણ્યા ગાંઠ્યા શહેરોમાં સામેલ છે, જ્યાં વર્ષીય ખગોળીય ઘટના હેઠળ પડછાયો ગાયબ થવાનો અજબ-ગજબ નજારો જોવા મળે છે.












Click it and Unblock the Notifications
