G-20: વિદેશ મંત્રીઓની બેઠકને PM મોદીએ કર્યુ સંબોધન, કહ્યુ ભારત ગ્લોબલ સાઉથનો અવાજ
G20 વિદેશ મંત્રીઓની બેઠકની શરુઆત કરતા પહેલા તૂર્કી અને સીરિયામાં હાલમાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનાર લોકો માટે એક મીનિટનું મૌન રાખવામાં આવ્યુ હતુ.
પીએમ નરેન્દર્ મોદીએ ગુરવારે જી 20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધિત કર્યુ હતુ. બેઠકને સંબોધિત કરતા તેમણે ભારત પહોચેલા જી20 દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે, " હુ જી20 વિદેશ મંત્રીઓની બેઠક માટે ભારતમાં આપનું સ્વાગત કરુ છુ. આ એક્તા એક ઉદ્શ્ય અને કાર્યવાહીની એકતાની આવશ્યક્તાનો સંકેત આપે છે." તેમણે આશા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, આજની બેઠકનો ઉદેશ્યને પ્રાપ્ત કરવા માટે એક સાથે આવવાની ભાવના દર્શવવી જરૂરી છે. જી20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધિત કરતા પ્રધાનંત્રીએ કહ્યુ કે, ભારત ગ્લોબલ સાઉથનો અવાજ છે.

જી20 વિદેશ મંત્રીઓની બેઠકની શરુઆત કરતા પહેલા તૂર્કી અને સીરિયામા આવેલા ભૂકંવમાં જીવ ગુમાવાનાર લોકોને એક મીનીટનુ મૌન પાળીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. જી20 ના વિદેશ મંત્રીઓની બેઠક દિલ્હીમા યોજાઇ રહી છે. બેઠક પહલા ભારતના વિદેશ મતર્ી ડો એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બેયરબોકની આગેવાની કરી હતી. બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી આવેલા છે. ગુરુવારે બેઠકમાં શામેલ થયેલ સાઉદી અરબ, ચીન, ઉન્ડોનેશિયા, સ્પેન અને ક્રોએશિયાના વિદેશ મત્રીઓ ભારત આવી પહોચ્યા છે.
તમને જણાવી દઇેએ કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાયસીન ડાયલોગના 8 માં સંસક્રણનુ ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમ 2 થી 4 માર્ચ સુધી નવી દિલ્હીમાં આયોજીત કરવામાં આવશે. 3 દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમમાં 100 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. વિદેશ મંત્રાલય આ ઓબજર્વ રિસર્ચ ફાઉડેશન ના સહોયગથી આયોજિત કરી રહ્યા છે. ઉદ્ધઘાટન સત્રના મુખ્ય અતિથિ ઇટલીના પ્રધાનમંત્રી જિયોજિયો મેલોની છે.












Click it and Unblock the Notifications
