નિતિન ગડકરીએ દિગ્વિજય વિરૂદ્ધ દાખલ કર્યો માનહાનિનો કેસ
સીનિયર વકિલ પિંકી આનંદે ગડકરી તરફથી કહ્યું હતું કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુદેશ કુમારને કહ્યું હતું કે કોંગ્રેસના નેતાએ તાજેતરમાં નિવેદન આપ્યું છે કે છે કે તેમના કાઇન્ટના ભાગીદાર અજય સંચેતીએ કોલસા બ્લોક ફાળવણીમાં કરોડો રૂપિયાનો લાભ મળ્યો છે.
આનંદે કહ્યું હતું કે દિગ્વિજયનું આ નિવેદનનો મોટાપાયે પ્રચાર થયો છે અને મીડીયામાં તેને સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું હતું કે આ નિવેદન દ્રારા ફરિયાદીની પ્રતિષ્ઠાને ઠેસ પહોચાડવાનો ઇરાદો હતો. ગડકરીની વકીલે સંક્ષિપ્ત નિવેદન બાદ કોર્ટમાં સુનાવણીમાં હાજર ભાજપ અધ્યક્ષના નિવેદનને રેકોર્ડ કરવાનો નિર્ણ્ય કર્યો છે.
ગડકરીનું નિવેદન રેકોર્ડ કર્યા પહેલાં મેજિસ્ટ્રેટે મીડીયાકર્મીઓને બહાર જવા માટે કહ્યું હતું. સુનાવણી દરમિયાન ગડકરીની વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસ લીડરને નોટીસ આપી છે પરંતુ તેમને જવાબ આપ્યો નથી.