ખુલી ગઇ પોલ, ભાજપના અધ્યક્ષે કચરો ફેંકાવી કરી હતી સફાઇ
નવી દિલ્હી, 7 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છ કરવાના હેતુથી 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. વડાપ્રધાને પોતે ઝાડુ લગાવીને આ અભિયાનની શરૂઆત કરી અને દેશવાસીઓને પણ આ અભિયાનમાં સામેલ થવાની અપીલ કરી.

નરેન્દ્ર મોદી જ્યાં આ અભિયાનને લઇને ગંભીર છે તો બીજી તરફ તેમની પાર્ટીના જ નેતા કથિત રીતે આ અભિયાનની હવા કાઢતાં જોવા મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પ્રદેશ ભાજપ આધ્યક્ષ સતીશ ઉપાધ્યાય અને સ્વચ્છ ભારત મિશનમાં સામેલ થયેલી આમ આદમી પાર્ટીથી અલગ થયેલી શાજિયા ઇલ્મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ મિશનની મજાક ઉડાવી છે.
જો આ ખુલાસાના અનુસાર સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જે જગ્યા પર આ લોકોએ સફાઇ કરી હતી, તે જગ્યા પર તેમના કાર્યક્રમ પહેલાં જ કચરો નાખવામાં આવ્યો હતો. આપ નેતા આશુતોષે ટ્વિટર પર આ સંબંધિત ફોટો પર અપલોડ કર્યો છે.
Pictures below exposes BJP's clean campaign. BJP president Satish Upadhyaya's stage managed cleaning. Shame. pic.twitter.com/10WKovT6EK
— ashutosh (@ashutosh83B) November 6, 2014 તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે હુમલો કરતાં કહ્યું હતું કે તમે સમાચાર પત્રમાં વાંચ્યું હશે, સતીશ ઉપાધ્યાયે પહેલાં રોડને ગંદો કરાવ્યો અને પછી સફાઇ કરી. અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીના આ અભિયાન પર પ્રશ્ન ઉભાં કરતાં કહ્યું કે દિલ્હીમાં ભાજપે સ્વચ્છ ભારત અભિયાનની સાથે દગો કર્યો છે. તો ભાજપ દ્વારા અત્યાર સુધી કોઇ પ્રતિક્રિયા મળી નથી.












Click it and Unblock the Notifications
