ભાજપની નરેન્દ્ર મોદી સરકારને 8 વર્ષની ઉજવણી માટે “ગરીબ કલ્યાણ સંમેલન”યોજાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 8 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તેની ઉજવણ કરવામાં આવનાર છે. ત્યારે ગુજરાતમાં પણ 32 જિલ્લાઓમાં કેન્દ્રીય મત્રીઓ રાજ્યના મંત્રીઓ, સાસંદ સભ્યો, ધારાસભ્યો ભાજપના હોદ્દેદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 8 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તેની ઉજવણ કરવામાં આવનાર છે. ત્યારે ગુજરાતમાં પણ 32 જિલ્લાઓમાં કેન્દ્રીય મત્રીઓ રાજ્યના મંત્રીઓ, સાસંદ સભ્યો, ધારાસભ્યો ભાજપના હોદ્દેદારોની ઉપસ્તિતિમાં ગરીબ કલ્યાણ સંમેલનની ઉજણી કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની વિવિધ લોકોપયોગી યોજનાઓના લાભાર્થીઓ સાથે શિમલા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાશે મહાત્મા મંદિર ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજ્યના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.
"PM કિસાન સન્માન નિધિ" અંતર્ગત ૧૧ માં હપ્તામાં ગુજરાતના ૫૮.૪૦ લાખ ખેડુતોના બેંક ખાતામાં રૂ.૧૧૬૮.૦૮ કરોડ જમા કરવામાં આવશે. રાજ્યના ૩૨ જિલ્લાઓ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતેથી યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી, રાજ્ય સરકારના મંત્રીઓ તથા સંસદ સભ્ય પણ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેસાણા જિલ્લાના કેટલાક લાભાર્થીઓ સાથે પણ વર્ચ્યુઅલ વાતચીત કરશે ગરીબ કલ્યાણ સંમેલન"-તમામ જિલ્લાઓને આવરી લેતો સૌથી મોટો રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમ યોજાશે.
કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ તમામ યોજનાઓનો લાભ નાગરિકોને ખુબ જ સરળતાથી મળે અને છેવાડાના લાભાર્થીને પણ યોજનાના દાયરામાં આવરી લેવાનો આ સંવાદ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય