રાહુલ ગાંધી દેશને તોડવાનું ષડયંત્ર કરી રહ્યા છે: ગિરિરાજ સિંહ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલમાં જ મુસ્લિમ બુદ્ધિજીવીઓ અને ઉદારવાદીઓના એક સમૂહ સાથે ચાઇ પર ચર્ચા કરી. તેના વિશે બીજેપીએ કોંગ્રેસ પર દેશ તોડવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલમાં જ મુસ્લિમ બુદ્ધિજીવીઓ અને ઉદારવાદીઓના એક સમૂહ સાથે ચાઇ પર ચર્ચા કરી. તેના વિશે બીજેપીએ કોંગ્રેસ પર દેશ તોડવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. પીએમ મોદીએ પણ રાહુલ ગાંધી પર નિશાનો સાધતા પૂછ્યું કે શુ કોંગ્રેસ ફક્ત મુસ્લિમોની જ પાર્ટી છે કે પછી મુસ્લિમ મહિલાની પણ પાર્ટી છે. ભાજપે રાહુલ ગાંધીને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે રાહુલ ગાંધી દેશ તોડવાનું ષડયંત્ર કરી રહ્યા છે.

ગિરિરાજ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ દેશ તોડવાનું ષડયંત્ર છે અને તેની શરૂઆત રાહુલ ગાંધીની મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે મુલાકાતથી થયી. ગિરિરાજ સિંહએ રાહુલ ગાંધી પર સંવિધાન બરબાદ કરવાનો પણ આરોપ લગાવ્યો અને માફીની માંગ કરી. જયારે શરીયા કાનૂન વિશે થઇ રહેલી ચર્ચા પર તેમને જણાવ્યું કે દેશમાં બધા માટે એક જ નિયમ હોવો જોઈએ. એક દેશ અને બે કાનૂન નહીં હોવા જોઈએ.
આપણે જણાવી દઈએ કે રાહુલ ગાંધીની મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે મિટિંગમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શિદ પણ હાજર હતા. બે કલાક સુધી ચાલેલી આ મુલાકાતમાં જ્યાં એક તરફ રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવીઓના વિચારો સાંભળ્યા, ત્યાં જ બીજી બાજુ સરકાર પર પ્રહાર પણ કર્યા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે લોકોના ગુસ્સાને ધાર્મિક લાગણીંમાં પરિવર્તિત કરી રહી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
