સરકારે લશ્કરના પ્રોક્સી આતંકવાદી સંગઠન TRF પર લગાવ્યો પ્રતિબંધ, અબૂ ખુબૈબને જાહેર કર્યો આતંકવાદી
પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સહયોગી સંગઠન ટીઆરએફ પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે.
નવી દિલ્લીઃ સરકારે પાકિસ્તાન આધારિત આતંકવાદી સમૂહ લશ્કર-એ-તૈયબાના સહયોગી સંગઠન 'ધ રેજિસ્ટન્સ ફ્રંટ'(ટીઆરએફ) પર ગુરુવારે પ્રતિબંધ લગાવી દીધો. ગૃહ મંત્રાલયે તેના બધા અભિવ્યક્તિઓ અને આગળના સંગઠનોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ(નિવારણ) અધિનિયમ 1967 હેઠળ આતંકવાદી સંગઠનો તરીકે જાહેર કર્યા છે.

ગૃહ મંત્રાલયે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના કમાન્ડર શેખ સજ્જાદ ગુલને પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967ની ચોથી સૂચિ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. ગૃહ મંત્રાલયે 5 જાન્યુઆરીએ મોહમ્મદ અમીન ખૂબૈબ ઉર્ફે અબુ ખુબૈબને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) એક્ટ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાનો રહેવાસી ખૂબૈબ હાલમાં પાકિસ્તાનમાં છે અને તે લશ્કર-એ-તૈયબાના લૉન્ચિંગ કમાન્ડર તરીકે સેવા આપી રહ્યો છે.
ટીઆરએફ આતંકવાદી સંગઠનની રચના 2019માં થઈ હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ આ સંગઠન યુવાનોની ઓનલાઈન ભરતી કરીને તેમને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરી રહ્યુ છે. ટીઆરએફ સરહદ પારથી ઘૂસણખોરી અને હથિયારો અને ડ્રગ્સની દાણચોરીમાં સામેલ છે. ગૃહ મંત્રાલયે કહ્યુ કે આતંકવાદી સંગઠન સોશિયલ મીડિયા પર જમ્મુ-કાશ્મીરના લોકોને ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યુ છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ સુરક્ષા દળો અને નાગરિકોને મારવાની યોજના ઘડવા બદલ ટીઆરએફના સભ્યો અને સહયોગીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને નાગરિકો પર હુમલા સંબંધિત મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. ગૃહ મંત્રાલયે તેના અહેવાલમાં જણાવ્યુ છે કે ટીઆરએફ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ઘાતક છે.












Click it and Unblock the Notifications
