અણ્ણાને જેટલીનો પત્રઃ લોકપાલ અંગે સરકાર ગંભીર નથી
નવી દિલ્હી, 12 ડિસેમ્બરઃ રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ લોકપાલ બિલ લાવવા માટે અનશન પર બેસેલા અણ્ણા હઝારેનું સમર્થન કર્યું છે. તેમણે અણ્ણાને લખેલા પત્રમાં કહ્યું કે 27 ડિસેમ્બર 2011માં લોકસભામાં પોતાના બહુમતના જોરે સરકારે જે લોકપાલ બિલ રજૂ કર્યુ, તે ભ્રષ્ટાચાર નિરોધક બિલ નથી, પરંતુ સરકારના નિયંત્રણમાં રહેતી એક સંસ્થાનો મુસદ્દો છે. જેટલીએ કહ્યું કે, જે બિલ લોકસભામાં પારિત થયુ તે ના તો જનલોકપાલ છે અને ના તો અમારી આશાઓ પર ખરુ ઉતરે છે.

આ બાબત ધ્યાન આપવા યોગ્ય છે કે, અણ્ણા હજારે એક મજબૂત લોકપાલ બિલ લાવવા માટે પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં અનિશ્ચિતકાળ અનશન પર બેઠાં છે, જેમાં સામેલ થવા માટે દેશભરમાંથી હસ્તીઓ આવી રહી છે. આજે જ સમાજસેવિકા મેધા પાટકર પણ રાલેગણ પહોંચ્યા. તેમણે અનશનમાં અરવિંદ કેજરીવાલની અનુપસ્થિતિ પર કહ્યું કે અણ્ણાને અનશન માટે કોઇની જરૂર નથી.
નોંધનીય છે કે, ગત કાલે કેજરીવાલે દિલ્હીમાં પોતાની પાર્ટીની સફળતામાં જંતર-મંતર પર આયોજિત એક સમારોહમાં અનશનમાં સામેલ થવાનું કહ્યું હતું, પરંતુ સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે તેઓ આજે રાલેગણ પહોંચી શક્યા નથી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
