Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર, અમિત શાહ ખેડુતો સાથે વાત કરશે!

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હવે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમાપ્ત કરવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરશે. સરકાર સાથે વાટાઘાટો કરવા માટે પાંચ ખેડૂત આગેવાનોની સમિતિ બનાવવામાં આવી છે.

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હવે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમાપ્ત કરવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરશે. સરકાર સાથે વાટાઘાટો કરવા માટે પાંચ ખેડૂત આગેવાનોની સમિતિ બનાવવામાં આવી છે. આ ઉપરાંત શનિવારે સિંઘુ બોર્ડર પર ખેડૂત સંગઠનો વચ્ચેની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે MSP સહિત અન્ય માંગણીઓ પર આંદોલન ચાલુ રહેશે.

farmers protest

સંયુક્ત કિસાન મોરચા દ્વારા એમએસપી અને અન્ય મુદ્દાઓ પર સરકાર સાથે વાત કરવા માટે પાંચ લોકોની સમિતિ બનાવવામાં આવી છે. આમાં બલબીર સિંહ રાજેવાલ, ગુરનામ સિંહ ચઢુની, યુદ્ધવીર સિંહ, શિવકુમાર કક્કા અને અશોક ધાવલેના નામ સામેલ છે. પાંચ સભ્યોની સમિતિના સભ્ય યુધવીર સિંહે ન્યૂઝ ચેનલ એનડીટીવી સાથે વાત કરતા કહ્યું કે,અમિત શાહે અમને ગઈકાલે રાત્રે ફોન કર્યો અને કહ્યું કે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. સરકાર પણ ચાલી રહેલા આંદોલનનો ઉકેલ શોધવા તૈયાર છે.

આ સિવાય યુદ્ધવીર સિંહે કહ્યું કે, તેઓ વાતચીત માટે એક સમિતિ ઈચ્છે છે, તેથી અમે એક સમિતિ બનાવી છે. તેમણે એમ પણ કહ્યું કે, 7 ડિસેમ્બરે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે મળનારી બેઠક પર ચર્ચા કરવામાં આવશે. જો આનાથી કોઈ હકારાત્મક પરિણામ આવશે તો ખેડૂતો તેમના ઘરે જઈ શકશે. બીજી તરફ સંયુક્ત કિસાન મોરચામાં સામેલ યોગેન્દ્ર યાદવે પણ કહ્યું કે સરકાર તરફથી સકારાત્મક સંકેતો મળ્યા છે, તેથી 7 ડિસેમ્બરે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

શનિવારે ખેડૂત નેતાઓ વચ્ચેની બેઠક બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, સંયુક્ત કિસાન મોરચાની 5 સભ્યોની સમિતિ કેન્દ્ર સરકાર સાથે વાત કરશે. રાજ્ય સરકારો સાથે વાત કરવા માટે એક કમિટી પણ બનાવવામાં આવશે. સમિતિ અને સરકાર વચ્ચે જે પણ વાતચીત થશે તે સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં જણાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા બાદ પણ વિરોધ કરી રહેલા ખેડૂત MSPની કાયદેસરની ગેરંટી, આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને લખીમપુર ખીરી કેસમાં આરોપીના પિતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીને બરતરફ કરવાની માંગ પર અડગ છે. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ માંગણીઓનો કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી ખેડૂતો પાછીપાની કરશે નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X