સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર, અમિત શાહ ખેડુતો સાથે વાત કરશે!
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હવે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમાપ્ત કરવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરશે. સરકાર સાથે વાટાઘાટો કરવા માટે પાંચ ખેડૂત આગેવાનોની સમિતિ બનાવવામાં આવી છે.
દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હવે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમાપ્ત કરવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરશે. સરકાર સાથે વાટાઘાટો કરવા માટે પાંચ ખેડૂત આગેવાનોની સમિતિ બનાવવામાં આવી છે. આ ઉપરાંત શનિવારે સિંઘુ બોર્ડર પર ખેડૂત સંગઠનો વચ્ચેની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે MSP સહિત અન્ય માંગણીઓ પર આંદોલન ચાલુ રહેશે.

સંયુક્ત કિસાન મોરચા દ્વારા એમએસપી અને અન્ય મુદ્દાઓ પર સરકાર સાથે વાત કરવા માટે પાંચ લોકોની સમિતિ બનાવવામાં આવી છે. આમાં બલબીર સિંહ રાજેવાલ, ગુરનામ સિંહ ચઢુની, યુદ્ધવીર સિંહ, શિવકુમાર કક્કા અને અશોક ધાવલેના નામ સામેલ છે. પાંચ સભ્યોની સમિતિના સભ્ય યુધવીર સિંહે ન્યૂઝ ચેનલ એનડીટીવી સાથે વાત કરતા કહ્યું કે,અમિત શાહે અમને ગઈકાલે રાત્રે ફોન કર્યો અને કહ્યું કે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. સરકાર પણ ચાલી રહેલા આંદોલનનો ઉકેલ શોધવા તૈયાર છે.
આ સિવાય યુદ્ધવીર સિંહે કહ્યું કે, તેઓ વાતચીત માટે એક સમિતિ ઈચ્છે છે, તેથી અમે એક સમિતિ બનાવી છે. તેમણે એમ પણ કહ્યું કે, 7 ડિસેમ્બરે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે મળનારી બેઠક પર ચર્ચા કરવામાં આવશે. જો આનાથી કોઈ હકારાત્મક પરિણામ આવશે તો ખેડૂતો તેમના ઘરે જઈ શકશે. બીજી તરફ સંયુક્ત કિસાન મોરચામાં સામેલ યોગેન્દ્ર યાદવે પણ કહ્યું કે સરકાર તરફથી સકારાત્મક સંકેતો મળ્યા છે, તેથી 7 ડિસેમ્બરે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
શનિવારે ખેડૂત નેતાઓ વચ્ચેની બેઠક બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, સંયુક્ત કિસાન મોરચાની 5 સભ્યોની સમિતિ કેન્દ્ર સરકાર સાથે વાત કરશે. રાજ્ય સરકારો સાથે વાત કરવા માટે એક કમિટી પણ બનાવવામાં આવશે. સમિતિ અને સરકાર વચ્ચે જે પણ વાતચીત થશે તે સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં જણાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા બાદ પણ વિરોધ કરી રહેલા ખેડૂત MSPની કાયદેસરની ગેરંટી, આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને લખીમપુર ખીરી કેસમાં આરોપીના પિતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીને બરતરફ કરવાની માંગ પર અડગ છે. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ માંગણીઓનો કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી ખેડૂતો પાછીપાની કરશે નહીં.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી









Click it and Unblock the Notifications
