For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર બીપીએલ કુટુંબો માટે કઠોળ પર સબસિડી વધારશે

|
Google Oneindia Gujarati News

bpl
નવી દિલ્હી, 27 ઑક્ટોબર : સરકારે ગરીબી રીખા હેઠળ જીવતા કુટુંબોને રાહત આપવા માટે નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર બીપીએલ કુટુંબોને ઓછી કિંમતે દાળ - કઠોળ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિ એક કિલો દાળ પર 20 રૂપિયાની સબસિડી આપશે.

આ અંગેની જાહેરાત કરતા ખાદ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે બીપીએલ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલીના માધ્યમથી આયાત કરવામાં આવેલી દાળ યોગ્ય ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આયાત માટે નિર્ધારિત એજન્સીઓ આયાત કરવામાં આવેલી દાળો પૂરી પાડવા માટે સીધા રાજ્યો અને સંઘ શાસિત રાજ્યો સાથે જોડાણ કરશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે ચોમાસામાં વિલંબ અને ઓછી વાવણીને કારણે દાળના માગ અને પુરવઠામાં અંતર વધ્યું છે. આ કારણે દાળને આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાહત દળે દાળના વિતરણની જવાબદારી રાજ્ય સરકારની હશે. આ યોજના 31 માર્ચ, 2013 સુધી ચાલશે. આ યોજના આગળ ચાલુ રાખવી કે નહીં તેનો નિર્ણય માર્ચ 2013 પછી લેવામાં આવશે.

English summary
Government will subsidize pulses for BPL families.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X