300 કરોડની લાંચ મુદ્દે રાજ્યપાલ સત્યપાલ મલિકે RSSની માફી માંગી!
પોતાના તીખા નિવેદનોને કારણે સમાચારોમાં રહેલા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એકવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ખેડૂતોના આંદોલનને લઈને નિવેદન આપ્યું છે.
નવી દિલ્હી, 26 ઓક્ટોબર : પોતાના તીખા નિવેદનોને કારણે સમાચારોમાં રહેલા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એકવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ખેડૂતોના આંદોલનને લઈને નિવેદન આપ્યું છે. આ વખતે સત્યપાલ મલિકે RSSને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર થવા મુદ્દે પોતાની ભૂલ ગણાવીને માફી માંગી છે. મલિકે કહ્યું છે કે, મારે આરએસએસનું નામ ન લેવું જોઈતું હતું. મને આરએસએસ દ્વારા કોઈ ધમકી આપવામાં આવી નથી. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન 300 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હોવાના મામલાનો RSS સાથે કોઈ સબંધ નથી. લોકો વ્યક્તિ તરીકે વેપાર કરે છે. તેમાં આરએસએસ ક્યાંય નથી. જો કોઈ વ્યક્તિ આરએસએસ સાથે જોડાયેલો હોય અને પોતાના ફાયદા માટે કોઈ સોદો કરે તો તેમાં આરએસએસનો કોઈ દોષ નથી.

સત્યપાલ મલિકે ખેડૂતો આંદોલન વિશે કહ્યું કે, હું આજે પણ માનું છું કે સરકારે ખેડૂતો સાથે વાત કરવી જોઈએ. છેલ્લા 70 વર્ષથી ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમને પાકના યોગ્ય ભાવ આજદિન સુધી મળ્યા નથી. હું ઈચ્છું છું કે આ સરકાર એમએસપી કાયદાને માન્યતા આપે. પરંતુ હું જોઉં છું કે સરકાર એમએસપીને કાયદાકીય માન્યતા આપવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે 2 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. મલિકે કહ્યું કે, આ મામલો સરકાર અને ખેડૂતો માટે ખૂબ જ નજીકનો અને ખૂબ દૂરનો છે. જો સરકાર MSPની ગેરંટી આપે તો મામલો ઉકેલાઈ જશે. કારણ કે, હવે ખેડૂતો પણ થાકી ગયા છે અને સરકારને નુકસાન થઈ રહ્યું છે. તે સમાપ્ત કરવું જોઈએ.
ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી પર ખેડૂતોના આંદોલનની કેટલી અસર થશે તેવા પ્રશ્ન પર મલિકે કહ્યું કે, મને નથી લાગતું કે આંદોલનની યુપી ચૂંટણી પર બહુ અસર પડશે. હું સંમત છું કે લોકસભાની ચૂંટણીમાં તેની ભારે અસર પડશે. ખેડૂતોની સમસ્યાઓ મોટી છે અને જો સરકાર તેની અવગણના કરશે તો તેને નુકસાન સહન કરવું પડશે. આના થોડા દિવસો પહેલા મેઘાલયના રાજ્યપાલે કૃષિ કાયદાઓને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. મલિકે કહ્યું હતું કે, એમએસપીની માંગ છે, તો તમે તેને કેમ નથી કરી રહ્યા?
મલિકે આગળ કહ્યું કે, જો એક જ વાત છે તો તમારે તેનું સમાધાન કરવું જોઈએ. ખેડૂતો MSP કરતા ઓછા ભાવે સમાધાન નહીં કરે. મને લાગે છે કે MSP કાયદો લાગુ થયા બાદ ખેડૂતોનો મુદ્દો ચોક્કસપણે ઉકેલાઈ જશે. તેમણે કહ્યું કે કેટલીક જગ્યાએ ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે. ઘણા ખેડૂતો 11 મહિનાથી પોતાનું ઘર છોડીને આંદોલન કરી રહ્યા છે. હવે વાવણીનો સમય છે, પરંતુ તેઓ ધરણા સ્થળ પર છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
