અજાણતા સીમા પાર કરનાર જવાનના, ખબર સાંભળી દાદીનું થયું મોત!
હાલમાં જ અજાણતા સીમા પાર કરી ગયેલા ભારતીય સેનાના જવાન ચંદૂ બાબૂલાલ ચૌહાણની દાદીને જ્યારે આ વાતની ખબર પડી તો આઘાતના કારણે તેમની મોત થઇ ગઇ. ગૃહ મંત્રી રાજનાથ સિંહે જવાનના પરિવાર સાથે વાત કરી તેની દાદીના મોત પર દુખ વ્યક્ત કર્યું હતું.

ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ચંદૂ બાબૂલાલ ચૌહાણની દાદીની મોત બાદ તેમણે પરિવારજનોને ફોન કરીને સાંત્વના આપી છે કે સૈનિકને શોધવાના તમામ પ્રયાસ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે આ યુવાન મહારાષ્ટ્રના ધુલેનો રહેવાસી છે.
સુત્રો મુજબ જવાનની દાદીને જ્યારે ખબર પડી કે તેમના પૌત્રને પાકિસ્તાની સેનાએ પકડી લીધો છે તો તેમને આંચકો લાગ્યો અને જે કારણે તેમની મોત થઇ ગઇ. રાજનાથ સિંહે પરિવારજનોને ભરોસો આપ્યો છે કે સરકાર ચંદૂલાલને પાછો લાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરશે. અને જલ્દી જ તે ભારત પરત ફરશે. સેનાના સુત્રોએ જણાવ્યું કે 37 આરઆરનો ભારતીય સૈનિક હથિયારો સમતે ભૂલથી સીમા પાર કરીને જતો રહ્યો છે. જે બાદ ભારતીય ડીજીએમઓએ પાકિસ્તાનના ડીજીએમઓને આ અંગે જાણકારી આપી હતી.












Click it and Unblock the Notifications
