યુપીના આ શહેરમાં થાય છે રાવણની પૂજા, જાણો તેનો ઈતિહાસ
ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક એવી જગ્યા છે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે.
અધર્મ પર ધર્મની અને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક રાવણનું વ્યક્તિત્વ કદાચ એવુ જ છે કે આપણે રાવણને આમ દોષિત માનીએ છીએ અને તેના પૂતળાને તાળીઓના ગડગડાટ વચ્ચે બાળીએ છીએ. પરંતુ શું તમે વિચાર્યુ છે કે રાવણનું આ જ વ્યક્તિત્વ તેની પૂજા પણ કરાવે છે. સમગ્ર દેશમાં વિજયાદશમી પર રાવણના પ્રતીક રૂપે વધ કરીને ભલે તેનું પૂતળુ બાળવામાં આવતુ હોય પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક એવી જગ્યા છે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે. આટલુ જ નહિ પૂજા કરવા માટે રાવણનું મંદિર પણ ત્યાં હાજર છે જે માત્ર વર્ષમાં દશેરાના દિવસે જ ખોલવામાં આવે છે.

રાવણનું આ મંદિર ઉદ્યોગ નગરી કાનપુરમાં છે. વિજયાદશમીના દિવસે આ મંદિરમાં વિધિ-વિધાન સાથે રાવણનું દૂગ્ધ સ્નાન અને અભિષેક કરીને શ્રૃંગાર કરવામાં આવે છે. ત્યારબાદ પૂજન સાથે રાવણની આરતી કરવામાં આવે છે. બ્રહ્મ બાણ નાભિમાં લાગવા અને રાવણની મૃત્યુ હોવા વચ્ચે કાળચક્રએ જે રચના કરી તેણે રાવણને પૂજવા યોગ્ય બનાવી દીધો. આ તે સમય હતો જ્યારે રામે લક્ષ્મણને કહ્યુ હતુ કે રાવણના પગ તરફ ઉભા રહીને સમ્માનપૂર્વક નીતિ જ્ઞાનનું શિક્ષણ ગ્રહણ કરો. કારણકે ધરાતલ પર ક્યારેય રાવણ જેવો કોઈ જ્ઞાની પેદા થયો છે ના તો થશે. રાવણનું આ જ સ્વરૂપ પૂજનીય છે અને આને જ ધ્યાનમાં રાખીને કાનપુરમાં રાવણની પૂજા કરવામાં આવે છે.
સન 1868 માં કાનપુરમાં બનેલા આ મંદિરના નિર્માણ સમયથી લઈને આજ સુધી નિરંતર રાવણમની પૂજા થાય છે. લોકો દર વર્ષે મંદિર ખુલવાની રાહ જુએ છે. મંદિર ખુલવા પર લોકો અહીં પૂજા અર્ચના ખૂબ ધૂમધામથી કરે છે. સમગ્ર વિધિ વિધાન સાથે પૂજા કરી રાવણની આરતી પણ ઉતારવામાં આવે છે. કાનપુરમાં હાડર રાવણનું આ મંદિર વિશે માન્યતા છે કે અહીં મન્નત માંગવાથી લોકોના મનની ઈચ્છા પૂરી થાય છે. લોકો એટલા માટે દશેરાના દિવસે રાવણની વિશેષ પૂજા કરે છે. અહીં દશેરાના દિવસે રાવણનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે. ઘણા ઓછો લોકો જાણતા હશે કે રાવણને જે દિવસે રામના હાથે મોક્ષ મળ્યુ તે દિવસે રાવણ પેદા પણ થયો હતો.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
